અમરેલી

રાજુલાના કોવાયા ખાતે શિવકથામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજરી આપશે

આગામી ૧૪ એપ્રિલના અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ખાતે શિવકથામાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજરી આપનાર છે.

મુખ્યમંત્રીશ્રીનું ૧૪ એપ્રિલના સવારે ૧૧.૩૦ પીપાવાવ હેલિપેડ ખાતે આગમન થશે ત્યારબાદ કોવાયા ખાતે શિવકથામાં હાજરી આપી ૧૨.૩૦ કલાકે ગાંધીનગર પરત ફરશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રી શ્રી ની મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Related Posts