અમરેલી

દેવભૂમિ દેવળીયા દાતા રત્નો દ્વારા ધો.૧ થી ૮ સુધી ના વિદ્યાર્થી ઓને વિના મૂલ્યે ફુલસ્કેપ ચોપડા વિતરણ

અમરેલી જિલ્લા ના દેવભૂમિ દેવળીયા ખાતે દાતા રત્નો કેળવણી પ્રેમી ભાવનાબેન ભરતભાઇ પરમાર તથા ભરતભાઇ હિંમતભાઈ પરમારના સુખાકારી જીવન અંતર્ગત તેમના સુપુત્ર નિકીભાઈ અને ( હેમંતભાઈ તેરૈયા પ્રેરણાસ્ત્રોત) દિપેનભાઈ ભરતભાઇ પરમાર ના વરદહસ્તે આજરોજ દેવભૂમિ દેવળિયા માં અભ્યાસ કરતા બાલવાટિકા – થી – ધોરણ :- આઠ સુધીના તમામ બાળકોને ફુલસ્કેપના ચોપડાનું વિતરણ કરવામાં આવેલ તથા આ પ્રસંગે અમરેલી તાલુકા પંચાયત સદસ્યશ્રીમતી ભાવનાબેન નાથાલાલ સુખડીયા પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ભાવેશભાઈ ગ્રામ આગેવાન વિપુલભાઈ તથા શાળા ના આ.શિક્ષક શ્રી અનિલ કુમાર એમ. વ્યાસ દ્વારા દાતાશ્રી દીપેનભાઈ દ્વારા ફુલસ્કેપના ચોપડાનું વિતરણ કરવામાં આવેલ છે

Related Posts