શિશુવિહારનાં કાર્યકરોનું અભિવાદનસદ કાર્ય સન્માન સમિતિ ભાવનગરનાં ઉપક્રમે બીજો સેવા સન્માન સમારોહ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો. જીલ્લા વિકાસ અધિકારી શ્રી બરનવાલ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાઠોરની અધ્યક્ષતામાં યોજાયેલ સમારોહમાં ભાવનગરનાં 10 સેવાભાવી નાગરિકો અને સંસ્થાઓનુ અભિવાદન થયુ. શિક્ષણવિદ ડૉ. નલિનભાઈ પંડિત તથા શહેર નાં 80 થી વધું શિક્ષકોની પ્રેરક ઉપસ્થિતિમા આ પ્રસંગે શહેર ની ભાવ-વંદના ટ્રસ્ટ દવારા મહારાજા કૃષ્ણ કુમારસિંહજી ની અર્ધ પ્રતિમા થી શિશુવિહાર સંસ્થાનું વિશેષ અભિવાદન થયું. તસ્વીરમાં શિશુ વિહારનાં આરોગ્ય સેવા પ્રવૃતિનાં કર્મષ્ઠ સેવક શ્રી મીનાબહેન મકવાણા તથા 4000 થી વધું નાગરિકોને આપત્તિ નિવારણ તાલીમ આપનાર શ્રી હરીશભાઈ ભટ્ટનું અભિવાદન દર્શનીય રહયું.
“શિશુવિહારનાં કાર્યકરોનું અભિવાદન” સદ કાર્ય સન્માન સમિતિ ભાવનગરનાં ઉપક્રમે બીજો સેવા સન્માન સમારોહ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો

Recent Comments