અમરેલી

સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા થયેલ સકારાત્મક રજૂઆતથી સાવરકુંડલાને મળશે

54 કરોડનાં ખર્ચે નવા  ઓવરબ્રિજની ભેટ..ગુજરાત રાજયના સંવેદનશીલ મુદ્દુભાષી માનનીય મુખ્યમંત્રીશ્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખૂબ ખૂબ આભાર… સાવરકુંડલા ના મહુવા રોડ ઉપર ઓવરબ્રિજ બનશેસૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌનો વિશ્વાસ ના સૂત્રને સાર્થક કરતા ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા સાવરકુંડલા મહુવા રોડ ઉપર આવેલ રેલવે ફાટક પસાર થતા રેલવે માર્ગ પર ચાલતા ટ્રેન  વ્યવહારથી વારંવાર ફાટક બંધ થતાં  વાહન ચાલકો અને  આમ જનતા વારંવાર  ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવા પડતો તે પ્રશ્નનો કાયમી ઉકેલ આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા સાવરકુંડલા શહેરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સાવરકુંડલા મહુવા હાઈવે પર આવેલ રેલવે ફાટક નંબર 67/B1 ઓવરબ્રિજ માટે ધારાસભ્યશ્રી દ્વારા તા.૧૧/૦૪/૨૦૨૩ નાં પત્ર થી સરકારશ્રીમાં કરાયેલ રજૂઆત મુજબ ગુજરાત સરકાર દ્વારા લોકોની જન સુખાકારી અને વિકાસલક્ષી કાર્ય માટે હાઈવે પરથી  પસાર થતાં વાહનો કાયમી માટે હવે ટ્રાફિકથી સંપૂર્ણપણે મુક્તિ મળશે.સાથે નાગરિકો અને વાહનચાલકોને તેમનો સમય પેટ્રોલ ડીઝલમાં પણ બચત થશે આ ઓવરબ્રિજ બનાવવા
ટૂંક સમયમાં જ ડિટેલ પ્લાન તેમજ ટેન્ડર પ્રક્રિયા માટે કાર્યવાહી નો પ્રારંભ થશે જ્યારે  કોઈપણ દર્દી ને સારવાર માટે લઈ જવામાં આવતા એમ્બ્યુલસની સેવા તેમજ 108 જેવી ઈમરજન્સી સેવા માટે ફાટક બંધ થતાં  વિક્ષેપ આવતો તે પણ હવે સંપૂર્ણપણે દૂર થઈ જશે સાવરકુંડલા તેમજ રાજુલા તેમજ મહુવા જતા તમામ નાગરિકોને આ વિશેષ સુવિધા મળતી થશે…

Related Posts