શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (જીર્ઝ્રં)ની બેઠક, આગામી ૧૫-૧૬ ઓક્ટોબરના રોજ પાકિસ્તાનમાં યોજાશે. વિદેશ મંત્રી એસ જયશંકર તેમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન મીટિંગમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે. આ વખતે પાકિસ્તાન જીર્ઝ્રં બેઠકની યજમાની કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ ૧૫ અને ૧૬ ઓક્ટોબરે ઈસ્લામાબાદમાં યોજાવાની છે.
જેમાં વિદેશ મંત્રી એસ જયશંકર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. પાકિસ્તાન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની ઝ્રૐય્ બેઠકનું આયોજન કરી રહ્યું છે.વિદેશ મંત્રી એસ જયશંકરની આ મુલાકાત સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આતંકવાદને લઈને પાકિસ્તાનને આડે હાથ લીધાના થોડા દિવસો બાદ થઈ રહી છે. ગત ૨૮ સપ્ટેમ્બરે જયશંકરે કહ્યું હતું કે ઘણા દેશો તેમના નિયંત્રણ બહારના સંજાેગોને કારણે પાછળ રહી ગયા છે. પરંતુ, કેટલાક દેશો જાણી જાેઈને આવા ર્નિણયો લે છે જેના વિનાશક પરિણામો આવે છે. આનું ઉદાહરણ આપણો પાડોશી પાકિસ્તાન છે. જયશંકરે ેંદ્ગય્છમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના સંબોધનનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું, ગઈકાલે આ જ પ્લેટફોર્મ પર અમે કેટલીક અજુગતી વાતો સાંભળી હતી. તેથી, હું મારા દેશની સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ કરવા માંગુ છું. પાકિસ્તાનની આતંકવાદની નીતિ ક્યારેય સફળ નહીં થાય. તેણે સજામાંથી બચવાની આશા ન રાખવી જાેઈએ.
Recent Comments