અમરેલી : સોમનાથ મંદિરથી ઇંટોના ભઠ્ઠા તરફ જતા ઠેબી નદી ઉપર બ્રિજનું કામ શરુ હોવાથી અન્ય રૂટનો ઉપયોગ કરવો
![](https://citywatchnews.com/wp-content/uploads/2020/12/city-watch-2-1.jpg)
અમરેલી કુંકાવાવ રોડ ઉપર સોમનાથ મંદિરથી ઇંટોના ભઠ્ઠા તરફ જતો કુંકાવાવ તરફ જવાના માર્ગ ઉપર ઠેબી નદી ઉપર પુલ બનાવવાનું કામ શરૂ કરવાનું હોવાથી આ રસ્તા ઉપર પસાર થતા તમામ વાહનો તથા પગપાળા જનાર વ્યક્તિઓએ પસાર થવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એ. બી. પાંડોરએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ અમરેલી કુંકાવાવ રોડ ઉપર સોમનાથ મંદિરથી ઇંટોના ભઠ્ઠા તરફ જતા કુંકાવાવ તરફ જવાના માર્ગ પરના પસાર થતા તમામ વાહનો તથા પગપાળા જનાર વ્યક્તિઓને જવા-આવવા માટે બંને તરફ પસાર થતા વાહનોએ અન્ય વૈકલ્પિક રૂટ અથવા પાણી દરવાજા સ્વામિનારાયણ મંદિર – હયાત મેજર બ્રિજ – શિવાજી સર્કલ – જેસીંગપરા – કુંકાવાવ રસ્તા ઉપર પસાર થવાનું રહેશે. આ જાહેરનામું તા: ૧૧/૦૫/૨૦૨૧ સુધી અમલમાં રહેશે.
Recent Comments