અમરેલી જિલ્લામાં ત્રણ સ્થળોએ ૨૦૭ આરોગ્યકર્મીઓએ કોવીડ-૧૯ની વેક્સીન લીધી
કોરોના વાયરસ સામે રક્ષણ આપતી રસીને પ્રથમ તબક્કામાં આરોગ્યકર્મીઓને આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લાના બાબરા, લાઠી અને સાવરકુંડલા ખાતે ૨૦૭ આરોગ્યકર્મીઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. બાબરા આરોગ્ય કેન્દ્ર ખાતે ૮૬, સાવરકુંડલા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ૫૯ અને લાઠી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ૬૨ આરોગ્યકર્મીઓએ કોરોના સામે રક્ષણ આપતી રસીનો ડોઝ લીધો હતો.
સાવરકુંડલા સબ ડિસ્ટ્રિક્ટ ખાતે પ્રાંત અધિકારી શ્રી આર. આર. ગોહીલએ વેક્સીનેશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે સાવરકુંડલા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં
Recent Comments