ગુજરાત તરફ તૌકતે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. ગઈ કાલથી જ વાવાઝોડાની અસર જાેવા મળી રહી છે, ત્યારે વડોદરામાં ખાનગી કંપનીનો ટાવર ધરાશાયી થયો હતો. જેમાં કંપનીના એક કર્મચારીનું મોત નીપજ્યું છે. નંદેસરીની પાનોલી ઇન્ટરમિડીયેટ કંપનીનો ટાવર ધરાશાયી થયો છે.
ટાવર ધરાશાયી થતાં કંપનીના કર્મચારી આશિષ ગોહિલનું મોત નીપજ્યું છે. કર્મચારીનું મોત નીપજતાં લોકોના ટોળા કંપનીમાં એકત્રિત થઈ હોબાળો મચાવ્યો હતી. પોલીસે કર્મચારીના મોત મામલે કાર્યવાહી શરૂ કરી છે.
ભારે પવનને કારણે જીઆઇડીસીમાં આવેલો પાનોલીનો મહાકાય ટાવર જમીનદોસ્ત થયો હતો. જેમાં એક કર્મચારી દબાઈ જતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ઘાયલ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતો. આ ઘટનાને પગલે રેસ્ક્યૂ ટીમ પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ કરી રહી છે. મૃતકનું નામ આશિષ ગોહીલ છે અને તે આણંદ નજીક આવેલા દાવોલ ગામનો રહેવાસી છે.
Recent Comments