રાજ્યના દૂધ ઉત્પાદક-પશુપાલકોના હિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એક સંવેદનાસ્પર્શી ર્નિણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિ કિ.ગ્રામ રૂ. ૫૦ પ્રમાણે સહાય આપવાનો ર્નિણય લેવાયો છે. આ સિવાય ફ્રેઇટ ઓન બોર્ડ ર્હ્લંમ્ ભાવ પ્રતિ કિ.ગ્રામ રૂ.૧૮૦થી વધારીને રૂ. ૨૦૦ આપવાનો ર્નિણય કરાયો છે.
મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે અપાતી રાજ્ય સરકારની નિકાસ સહાયમાં વધારો કરવાનો ર્નિણય કર્યો છે. સમક્ષ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીએ હવે, ર્હ્લંમ્ પ્રતિ કિ.ગ્રામ ૧૮૦ને બદલે રૂ. ૨૦૦ આપવાનો ર્નિણય લીધો છે. રાજ્યના પશુપાલકોના વ્યાપક હિતમાં રાજ્ય સરકાર સ્કીમ મિલ્ક પાવડરમાં દૂધ સંઘોને આંતરરાષ્ટ્રીય બજારોમાં થતા નાણાંકીય નુકશાનને સરભર કરવા આવી નિકાસ સહાય મંજૂર કરે છે.
આ જાેગવાઇ અનુસાર સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ કરવા પ્રતિ કિ.ગ્રામ રૂ. ૫૦ મહત્તમ નિકાસ સહાય ૬ મહિનાના સમયગાળા માટે રૂ. ૧૫૦ કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવેલી હતી. રાજ્યના દૂધ સંઘોએ આ વર્ષે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરીને ર્હ્લંમ્(ફ્રેઇટ ઓન બોર્ડ) પ્રતિકિલો રૂ. ૧૮૦થી વધારીને ૨૦૦ કરવા તેમજ યોજનાની અવધિમાં પણ વધારો કરવા વિનંતી કરી હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ ૧ જુલાઇ-૨૦૨૧થી તા.૩૧ ડિસેમ્બર-૨૦૨૧ સુધીના ૬ માસ માટે રૂ.૫૦ પ્રતિ કિ.ગ્રામ સહાય મંજૂર કરી છે. એટલું જ નહિ, ર્હ્લંમ્ ભાવ પરિવહન ખર્ચ સાથે રૂ. ૨૦૦ પ્રમાણે આપવાનો ર્નિણય પણ તેમણે કર્યો છે. મુખ્યમંત્રીએ એવું પણ સૂચવ્યું છે કે, જાે સ્કીમ મિલ્ક પાવડરના ર્હ્લંમ્ ભાવમાં વધારો થાય તો આ વધારા જેટલી રકમની નિકાસ સહાયમાં ઘટાડો થશે. એટલે કે જાે ર્હ્લંમ્ ભાવ રૂ. ૨૦૦થી વધીને ૨૧૦ થાય તો, નિકાસ સહાય રૂ.૫૦ થી ઘટીને રૂ.૪૦ થશે. જાે ર્હ્લંમ્ ભાવમાં ઘટાડો થાય તો પણ નિકાસ સહાય યથાવત એટેલે કે રૂ. ૫૦ પ્રતિ કિ.ગ્રામ જ રહેશે.
આ સમગ્ર યોજના રૂ.૧૫૦ કરોડની નાણાંકીય મર્યાદામાં મંજૂર કરવાનો ર્નિણય પણ વિજય રૂપાણીએ કર્યો છે. આ ર્નિણયને પરિણામે સ્કીમ મિલ્ક પાવડરના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં થતી વધ-ઘટથી થતું નુકશાન પશુપાલકો સરભર કરી શકશે અને તેમને આર્થિક રાહત પ્રાપ્ત થશે.


















Recent Comments