રક્તદાન અંગે લોકો દિવસેને દિવસે વધુ અવેર થઈ રહ્યા છે રક્તદાન કરવું જોઈએ જેના બે ફાયદા મોટા છે એક તો તમે રક્તદાન કરો ત્યારે તમારામાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થઈ શકે છે અને તમે જે રક્તદાન કર્યું છે એ લોહી 0 પરત 48 કલાકની આસપાસ ના સમયમાં મળી જાય છે. આ ઉપરાંત બીજો ફાયદો એ છે કે તમે કરેલા રક્તદાનથી અન્ય લોકોનું જીવન બચે છે ઘણા લોકો લોહી ના મળવાથી અનેક પ્રકારની મુશ્કેલીઓ માં મુકાય છે ત્યારે રક્તદાનનું મહત્વ એટલા માટે જરૂરી છે. ભારત દેશની અંદર રક્તદાન દર વર્ષે 1.3 કરોડ યુનિટ બ્લડ લોકો આપી રહ્યા છે. સંસ્થાઓ, એન.જી.ઓ, સોસાયટીઓ વગેરે ભેગા મળીને રક્તદાન કેમ્પ નું આયોજન કરે છે. જેમાં લોકો રક્તદાન કરે છે તો કેટલાક લોકો સ્વેચ્છાએ હોસ્પિટલોમાં જઈ રક્તદાન કરે છે. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ સાથે ઘણા લોકો જોડાયેલા છે જેઓ અવાર નવાર રક્તદાન કરતા હોય છે, ઘણા લોકોએ તો 50થી 60વાર રક્તદાન કર્યું છે. આટલા મોટા પ્રમાણમાં ભારત દેશની અંદર રક્તદાન થઈ રહ્યું છે પરંતુ હજુ પણ રક્તદાન જે થઈ રહ્યું છે તેની સરખામણીમાં વધુ યુનિટ બ્લડની જરૂર પડે છે. 1.5 કરોડ યુનિટ બ્લડની જરૂરપડે છે દર વર્ષે જરૂર પડે છે. જાણો આ ફેક્ટ્સ એન્ડ ફિગર 1.5 કરોડ યુનિટ બ્લડની જરૂરપડે છે દર વર્ષે 1.3 કરોડ યુનિટ બ્લડ રક્તદાનથી જમાં થાય છે ભારતમાં જરૂરિયાત કરતાં 20 લાખ યુનિટ ઓછું રક્તદાન થાય છે રેડ બ્લડ સેલ્સ 35 દિવસ સુધી સાચવી શકાય છે પ્લાઝમા 1 વર્ષ સુધી જ્યારે પ્લેટલેટ્સ 5 દિવસ સુધી જ સાચવી શકાયછે.
ભારત દેશમાં દર વર્ષે મોટી સંખ્યામાં રકતદાનની છે, તે છતાં પણ મોટી ઘટ પડી રહી છે, જાણો વર્ષે કેટલું રક્તદાન દેશમાં થાય છે

Recent Comments