ગુજરાતમાં તેલના ભાવ આસમાને જતા અટકાવવા સરકારે લગાવી બ્રેક : જાણો ખાદ્યતેલોના સંગ્રહ પર શું લગાવ્યા પ્રતિબંધ
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/02/10-41.png)
ક્રૂડના ભાવ જે રીતે આસમાને વધી રહ્યા છે તે રીતે તેલના ભાવ મોટો વધારો ના થાય તે હેતુથી રાજ્ય સરકારે તેના પર નિયંત્રણો મૂક્યા છે જે રીતે છેલ્લા કેટલાક સમયથી ખાધુ મા ભાવ વધારો જોવા મળી રહ્યો હતો તેને જોતા ખાદ્ય તેલોના સંગ્રહ સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખાદ્યતેલોના ભાવો સતત વધતા સરકારે રીટેલમાં ૩૦ ક્વિંટલ જ્યારે હોલસેલમા ૫૦૦ ક્વિંટલ નો જથ્થો સંગ્રહ કરી શકાશે તેવા આદેશો સાથે નિયંત્રણ લગાવી ખાદ્યતેલોના સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો છે. રીટેલમાં ૩૦ ક્વિંટલ જ્યારે હોલસેલમા ૫૦૦ ક્વિંટલ નો જથ્થો સંગ્રહ કરી શકાશે. ઓડિબલ ઓઈલ સીડ ના ૧૦૦ ક્વિંટલ રીટેઈલ જ્યારે હોલસેલમા ૨૦૦૦ ક્વિંટલ જથ્થો રાખી શકાશે. અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.સીંગતેલ અને કપાસિયા સંગ્રહખોરી હવેથી નહીં કરી શકાય, જેના કારણે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. છૂટક જથ્થાબંધ અને ડરને કંટ્રોલમાં રાખવા માટે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય ખાધતેલની સંગ્રહખોરી બાબતે લીધો છે. ખાસ કરીને કોરોના બાદ આ પ્રકારે ભાવમાં વધારો થયો છે.
Recent Comments