ગુજરાત

જાણો કેવી રીતે એક બિહારી એ આપ્યું ગંભીર ગુનાને અંજામ

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ રૂપા આવાસ રો-હાઉસમાં થયેલ ઘરફોડ ચોરી અને લાલગેટ પોલીસ મથકની હદમાં રાણી તળાવમાંથી ઘરફોડ ચોરીનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉકેલી કાઢી એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે….

 સુરત ક્રાઈમ બ્રાન્ચ ટીમના માણસો ઉચ્ચ અધિકારીઓની ઘરફોડ ચોરીના ગુનાઓ ઉકેલવાની સૂચનાઓ અનુસાર વર્કઆઉટમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે કતારગામ બ્રીજની નીચે ગોટાલાવાડી પાસેથી સ્ક્રીન પર દેખાતા આરોપી એવા રિક્ષાચાલક મૂળ ભાવનગરના રહેવાસી ગફાર યાસીનને ચોરીના મોબાઈલ ફોન, ચાંદીના દાગીના તેમજ ચાંદીની 4 પાટ અને ઓટો રીક્ષા સાથે ઝડપી પડ્યો હતો તેની વધુ પુછપરછ હાથ ધરાતા તેણે કબૂલ કર્યું હતું કે આજથી દશેક દિવસ પહેલા એક બિહારી છોકરો જે ભૈયા જેવી ભાષા બોલતો હતો તે પણ  બ્રીજ નીચે સુવા માટે આવવા લાગેલો અને બે એક દિવસ અહીં રોકાયેલો તે દરમ્યાન ગઇ તા.૧૧/૦૫/૨૦૨૨ ના રોજ સવારમાં આશરે છ વાગ્યે તે બહાર ક્યાંથી આવેલો તેની પાસે એક થેલો હતો તે ખોલી તેણે મજુર આરોપીને બતાવેલ જેમાં સોના-ચાંદીના દાગીના અને ૦૩ મોબાઇલ ફોન પણ હતા જેથી તેને પુછેલ કે, ‘આ બધુ ક્યાથી લાવેલ છે.’ જેથી આ બિહારીએ જણાવેલ કે, ‘સરદાર બ્રીજની નીચે આવેલ રૂપા આવાસ રો હાઉસમાં આવેલ એક બંગલામાંથી ચોરી કરી લઇ આવેલ છું. તુ મને સ્ટેશન મુકીજા’ તને આ ચોરીના માલ માંથી થોડો ભાગ આપીશ,’ તેમ જણાવતા આ બિહારીને આ રિક્ષાચાલક આરોપીએ પોતાની ઓટોરીક્ષામાં બેસાડીને સુરત સ્ટેશન ઉપર મુકી આવેલો અને તેણે આ ચોર મુદ્દામાલમાંથી એક મોબાઇલ ફોન, એક ચાંદીનો ઝુડો અને ટીકકો આપેલ હતો જે આરોપીએ રાખી લીધેલ હતા તેમજ આ 04 ચાંદીની પાટ મળી આવેલ છે તે આજથી ત્રણ મહિના પહેલા ગફાર યાસીન નામના આરોપીએ લાલગેટ વિસ્તારમાં આવેલ ભારબંધવાડ મસ્જીદ પાસેથી એક બંધ મકાનમાંથી ચોરી કરેલ હતી જે અંગેની કબુલાત કરતા રાંદેર અને લાલગેટ પોલીસ મથકના ઘરફોડ ચોરીના વણ-શોધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો હતો જોકે હાલ જે બિહારી છોકરાએ રાંદેર વિસ્તારમાંથી ચોરી કરી હતી તે હાલ ફરાર છે જેની સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસ તપાસમાં લાગી છે.

Related Posts