ગુજરાત

ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાની ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું ઇ-લોકાર્પણ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દેશની સુપ્રિમ કોર્ટ તેમજ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અંદાજે રૂ. ૩૩ કરોડના ખર્ચે નવનિર્મિત નર્મદા જિલ્લાની ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું ઇ-લોકાર્પણ કરાયું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત હાઇકોર્ટના ઓડિટોરિયમ ખાતેથી સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ એમ.આર.શાહ, ગુજરાતની વડી અદાલતના ચીફ જસ્ટીશ અરવિંદકુમાર, ગુજરાતના કાયદો અને ન્યાય વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને ગુજરાતની વડી અદાલતના ન્યાયાધીઓની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે સાંજે ગુજરાતની દેવભૂમી-દ્વારકાની ખંભાળીયા ખાતે તેમજ નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતેની નવનિર્મિત ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગના લોકાર્પણ ઉપરાંત વિવિધ તાલુકાઓના નવીન કોર્ટ બિલ્ડીંગ, ડિસ્ટ્રીક્ટ-ફેમીલી કોર્ટ બિલ્ડીંગ તેમજ અધિકારીઓ/કર્મચારીઓ માટેની આવાસ સુવિધા-ક્વાટર્સના ખાતમુહૂર્તનો વિવિધ ૪૧ સ્થળોએ વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાત હાઇકોર્ટના ઓડિટોરિયમ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે યોજાયેલા ઉક્ત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના મુખ્ય મથકે વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. અંદાજે રૂ. ૩૩ કરોડના ખર્ચે નવનિર્મિત નર્મદા ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગમાં ૧૭ જેટલી વિવિધ કોર્ટ કાર્યરત થઇ શકે તેવી ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત ૩ માળની બાંધકામ સુવિધાઓ ઉભી કરાઇ છે. આ કોર્ટ બિલ્ડીંગ સ્પેશિયસ છે, ચેમ્બર્સની સુવિધા પણ સ્પેશિયસ છે. રાજપીપળામાં કરજણ કોલોની સંકુલ ખાતે અંદાજે રૂ. ૩૩ કરોડના ખર્ચે નવનિર્મિત ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગના ઇ-લોકાર્પણની સાથોસાથ જિલ્લાના દેડીયાપાડા તાલુકા મથકે જ્યુડીશીયલ ઓફિસર્સ માટે નવા બંધાનારા ક્વાટર્સ-આવાસ સુવિધા માટે ઇ-ખાતમુહૂર્ત કરાયું હતું. રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ, જિલ્લા-તાલુકા ન્યાયાલયના ન્યાયાધીશ ઓ, બાર એસોસીએશનના હોદ્દેદાર ઓ, ધારાશાસ્ત્રીઓ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, રાજપીપળા જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન.અને મેડીકલ કોલેજના સુપ્રિટેન્ડન્ટ ડૉ. જ્યોતિબેન ગુપ્તા, માર્ગ મકાન, ડીજીવીસીએલ સહિત માટે બાર રૂમ સુવિધા, મિડીયેશન સેન્ટર, દિવ્યાંગ રૂમની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. આ નવીન કોર્ટ બિલ્ડીંગના વિશાળ સંકુલમાં વિશાળ પાયે ફળ-ફૂલ, ઝાડ અને ડેકોરેટીવ પ્લાન્ટ સાથે વૃક્ષારોપણ કરાયું છે. પામ ટ્રી પણ રોપવામાં આવેલા છે, જેના ૯૦ ટકા વૃક્ષો જીવિત છે. આ સમગ્ર કામગીરીમાં જિલ્લા પ્રસાશનનો સહયોગ સરાહનીય રહ્યો છે.

Related Posts