જિલ્લામાં બદલાયેલા વાતાવરણના કારણે કમોસમી વરસાદની શક્યતાઓ છે. આંબાના પાકની ખેતી કરતા ખેડૂતો હાલ કમોસમી વરસાદની આગાહીના પગલે આંબા વાડિયામાં કોઈપણ રાસાયણિક, સેન્દ્રિય ખાતર અને હોર્મોન્સનો છંટકાવ ન કરે તે ઉચિત છે. વાદળછાયું વાતાવરણ હોય અથવા વરસાદ પછી તાત્કાલિક ભૂકી છારા જેવા રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે જેના નિયંત્રણ માટે બગીચામાં અવલોકન કરતાં રહેવું ઉપરાંત જરુર જણાય તો કાર્બેન્ડેજીમ + મેન્કોજેબ અથવા હેક્ઝાકોનાજોલ ૫ ટકા અથવા થાયોફિનાઈટ મિથાઈલ અથવા ટેબ્યું સલ્ફર ૧૦૦૦ લીટર પાણીમાં ૧ કિલો/૧ લીટર છંટકાવ કરવો તેમજ મધિયો અને થ્રીપ્સ અને મગિયા ઇયળનો ઉપદ્રવ જણાય તો પ્રોફેનો સાયપર ૪૦ + ૪ ઈ.સી. ૧ લીટર પ્રતી ૧૦૦૦ લીટર પાણી મુજબ છંટકાવ કરવાની ભલામણ નાયબ બાગાયત નિયામકશ્રી અમરેલી દ્વારા એક યાદીમાં કરવામાં આવી છે.
કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોને આંબા વાડિયામાં રાસાયણિક, સેન્દ્રિય ખાતર અને હોર્મોન્સનો છંટકાવ ન કરવાની ભલામણ

Recent Comments