અમરેલી

લાઠી લાલજીદાદાના વડલા ખાતે ગાય આધારિત કૃષિ શિબિર યોજાય

લાઠી આરોગ્ય ધામ લાલજીદાદા ના વડલા ખાતે સંતોકબા મેડિકલ સેન્ટર ના રામકૃષ્ણ ઓડિટોરિયમ હોલ ખાતે જળક્રાંતિ ના પ્રણેતા વિદ્વાન વક્તા  મનસુખભાઇ સુવાગિયા ની અધ્યક્ષતા ગાય આધારિત ઉત્તમ કૃષિ શિબિર યોજાય. કૃષિ સંસ્કૃતિ ના આ દેશ માં ગાય આધારિત કૃષિ ઝેર મુક્ત કૃષિ જીવામૃત ખર્ચ વગર ની સત્વ શીલ કૃષિ માટે ઉત્તમ ઉદરણો અને ગુણવત્તા ઓ સાથે મનનીય માર્ગદર્શન આપતા મનસુખભાઈ સુવાગિયા નો યુવાનો ને ઉત્સાહ પ્રેરક વ્યસન મુક્તિ માટે વચનબદ્ધ પ્રતિજ્ઞા સાથે સુંદર સદેશ આપ્યો નીર વ્યશની બનો સત્વ શીલ યુવાન આ દેશ નું ખરું બળ છે.

ગોરક્ષા જળ રક્ષા પર્યાવરણ પ્રકૃતિ માટે ઉપીયોગી બનો ભારતીય મૂળ સંસ્કૃતિ ના સામર્થ્યવાન પ્રવાહ તરફ વળો નો અનુરોધ ગાય આધારિત ઉત્તમ કૃષિ ઝેર મુક્ત જીવન સત્વ શીલ આહાર આહાર જ વિચાર પ્રદાન કરનાર છે આહાર જ ઔષધ છે જેવી અનેકો માર્મિક ટકોર સાથે દ્રષ્ટાંત સાથે ભારતીય સંસ્કૃતિ ના જતન જાળવણી માટે સામાજિક સંવાદિતા થી આગળ વધો ઉત્તમોત્તમ સંસ્કૃતિ નિર્માણ ના વાહક બનો નો અનુરોધ કરતા મનસુખભાઇ સુવાગિયા ને સાંભળવા સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ ખેડૂતો યુવાનો ગ્રામ્ય અગ્રણી ઓની ઉપસ્થિત જોવા મળી હતી.

Related Posts