રાષ્ટ્રીય

બ્રિટનની રાજધાની લંડનમાં ભારતીય ઉચ્ચાયોગ બહાર ખાલિસ્તાન સમર્થક પ્રદર્શનકારીઓએ ફરી એકવાર ભારે ઉત્પાત મચાવ્યો

બ્રિટનની રાજધાની લંડનમાં ભારતીય ઉચ્ચાયોગ બહાર બુધવારે ખાલિસ્તાન સમર્થક પ્રદર્શનકારીઓએ ફરી એકવાર ભારે ઉત્પાત મચાવ્યો હતો. જાે કે, આ વખતે લંડન મેટ્રોપોલિટન પોલીસે ત્યાં સખત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી અને ઉચ્ચાયોગ બહાર બેરિકેડ્‌સ લગાવી નાંખ્યા હતા. તેને કારણે પ્રદર્શનકારીઓ ભારતીય ઉચ્ચાયોગ પાસે પહોંચી શક્યા નહોતા. પોલીસે ઉચ્ચાયોગથી અમુક અંતરે રોક્યાં હતા. તેનાથી હેબતાઈને પ્રદર્શનકારીઓએ બેરિકેડ્‌સ તોડવાનો પ્રદર્શન કર્યો હતો અને સુરક્ષાકર્મીઓ પર સ્યાહી ફેંકી હતી.

છેલ્લા ઘણાં દિવસોમાં પ્રદર્શનકારીઓએ ઉગ્ર પ્રદર્શન દરમિયાન ઇન્ડિયા હાઉસ પર લગાવેલા ત્રિરંગાને ઉતારી લીધો હતો અને બિલ્ડિંગની બારીઓ તોડી નાંખી હતી. ત્યારબાદ પ્રદર્શનકારીઓએ મંગળવારે પણ વિરોધ પ્રદર્શન કરવાની યોજના બનાવી હતી. પરંતુ લંડન પોલીસે આજે પહેલેથી જ તૈયારી કરી રાખી હતી. ત્યાં ૨૪ બસ ભરીને સુરભાકર્મીઓ મોકલવામાં આવ્યા હતા અને સાથે ઘોડેસવાર પોલીસ પણ બંદોબસ્તમાં મૂકવામાં આવી હતી. મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યુ હતુ કે, મોડી સાંજ સુધી અંદાજે ૨૦૦૦ પ્રદર્શનકારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ દરમિયાન તેમણે બેરિકેડ્‌સ તોડવાની કોશિશ કરી હતી અને પાણીની બોટલો, સ્યાહી અને પાવડર કલર્સથી પોલીસ પર નિશાન સાધ્યુ હતું. આ વચ્ચે ભારતીય ઉચ્ચાયોગની બિલ્ડિંગ પર કર્મીઓએ એક મોટો ત્રિરંગો લગાવ્યો હતો. લંડનમાં કેટલાક સમૂહ દ્વારા પ્રદર્શનની યોજનાને ધ્યાને રાખી બુધવારે ભારતીય ઉચ્ચાયોગ પાસે સખત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને બેરિકેડ્‌સ લગાવવામાં આવ્યા હતા.

ભારતીય રાજધાની દિલ્હી સ્થિત બ્રિટિશ ઉચ્ચાયોગ અને બ્રિટિશ ઉચ્ચાયુક્તના આવાસ બહાર ટ્રાફિકના બેરિકેડ્‌સ હટાવી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ લંડનમાં પગલાં લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ખાલિસ્તાન સમર્થકોના વિરોધ પ્રદર્શન દરમિયાન લંડન સ્થિત ભારતીય ઉચ્ચાયોગ પર લહેરાઈ રહેલા તિરંગાને નીચે ઉતારવાનો એક વીડિયો સામે આવ્યા બાદ આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ ભારતે રવિવારે રાતે બ્રિટિશ ઉપ ઉચ્ચાયુક્તે નોંધ્યુ હતુ અને ત્યાં ‘સુરક્ષા વ્યવસ્થા બિલકુલ ન હોવાથી’ મામલે સ્પષ્ટીકરણ માંગ્યુ હતુ.

આ ઘટના બાદ કેટલાક અધિકારીએ ત્યાં પહેરો ભર્યો હતો અને મેટ્રોપોલિટન પોલીસે વાહન ‘ઇન્ડિયા પ્લેસ’ બહાર ઊભા રહ્યા હતા. તો બીજી તરફ, મુખ્ય બ્રિટિશ અધિકારીઓએ કહ્યુ હતુ કે, બ્રિટન સરકાર ભારતીય ઉચ્ચાયોગની સુરક્ષાને ગંભીરતાથી લેશે. ત્યાં પ્રદર્શનકારીઓના એક સમૂહ દ્વારા અલગાવવાદી ખાલિસ્તાની ઝંડા લહેરાવતા ભારતીય ઉચ્ચાયોગમાં તોડફોડ કરવાની ઘટનાને અપમાનજનક અને સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય ગણાવી હતી અને ટીકા કરી હતી.

Related Posts