અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ, બાબરા મામલતદાર કચેરી ખાતે આગામી તા.૨૬ એપ્રિલ, ૨૩ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે યોજાશે. તાલુકા કક્ષાના અધિકાર વાળા બાકી હોય તેવા સરકારી કામો માટે અરજદારે સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાય અંગત પ્રશ્ન રજૂ કરવા માંગતા હોય તો તે અરજી તા.૧૫ એપ્રિલ, ૨૩ના રોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં રુબરુ કે ટપાલમાં પહોંચાડી દેવી. અરજીના મથાળે ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અવશ્ય લખવું, તેમ બાબરા તાલુકા મામલતદારશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
બાબરા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૫ એપ્રિલ સુધીમાં અરજી કરવી

Recent Comments