અમરેલી

લાઠી તાલુકા માં વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી થશે

લાઠી તાલુકા માં વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી થશે દર વર્ષ ની જેમ આગામી ૨૫ એપ્રિલને “વિશ્વ મેલેરીયા દિવસ” તરીકે ઉજવવાનું વિશ્વ આરોગ્ય સંસ્થા ધ્વારા નકકી કરેલ છે. જેના ભાગ રૂપે લાઠી તાલુકામાં મેલેરીયા નાબુદી માટે લોકોમાં જનજાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે. આથી જો મચ્છર ઉત્પતિ અટકાવવામાં લોકોનો સહકાર મળે તે માટે ઘરની અંદર તથા આજુબાજુ પાણીનો ભરાવો ન થાય, ફુલદાની, કુલર, સીમેન્ટના ટાંકાઓ, પાણીની કોઠીઓ, ટીપડાઓ વિગેરેનું પાણી દર અઠવાડીએ ખાલી કરી ઘસીને સાફ કરી તડકે સુકવીને નવું પાણી ભરવું, પાણી ભરવાના સ્ત્રોતો હવા ચુસ્ત ઢાંકણથી બંધ રાખવા જોઈએ, કાયમી પાણીથી ભરાઈ રહેતા સ્થળોએ પોરાનાશક માછલી (ગપ્પી) મુકવી જોઈએ, તૂટેલા – માટલાઓ, ખાલી શીશીઓ, ડબલા, જુના ટાયરો, નાળીયેરીની કાચલીઓનો નાશ કરવો કારણ કે પાણી તેમાં ભરાવાથી ત્યાં પણ મચ્છર ઉત્પતિ થાય છે. મચ્છરદાનીમાં સુવાની ટેવ પાડવી, મચ્છર અગરબત્તી કે રીપેલેન્ટનો  ઉપયોગ કરો, ઘરમાં કડવા લીમડાનો ધુમાડો કરવો, શરીર પુરતું ઢંકાય તેવા કપડા પહેરવા વગેરે ની એન્ટી લારવા કામગીરી ની માહિતી લાઠીના તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. આર. મકવાણા એ આપેલ છે. તેમજ તાલુકા સુપરવાઈઝર બાલમુકુંદ જાવિયા દ્વારા તમામ આરોગ્ય કર્મીઓ તાલીમ આપી ઘરે ઘરે જઈને સઘન સર્વેલન્સ હાથ ધરવા માં આવી રહ્યું છે.

Related Posts