અમરેલી

દામનગર શહેર માં રેલવે સ્ટેશન અનેક સુવિધા થી સુસજ્જ બનશે

દામનગર શહેર માં રેલવે પ્લેટફોર્મ અને રેલીગ માટે જિલ્લા સાંસદ નારણભાઈ કાછડીયા ને નિકુલભાઈ રાવળ દ્વારા વિસ્તૃત રજુઆત રંગ લાવી પાંચ કરોડ પચીસ લાખ થી રેલવે સ્ટેશન ખાતે રેલવે પ્લેટફોર્મ રેલીગ સહિત ની સુવિધા માટે કેન્દ્ર સરકાર પાસે થી જિલ્લા સાંસદ કાછડીયા એ મંજુરી મેળવી મહુવા -સુરત ટ્રેન ના રેલવે સ્ટોપ ને પ્રાયોગિક ને બદલે કાયમી કરવાવવા સાથે મુસાફરો ને અડવતા ન પડે તે માટે જરૂરી સુધારા વધારા સાથે રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ યોગ્ય કરવા સાઈડ રેલીગ કરવા ની અસરકરક વિગતે સ્થાનિક અગ્રણી નિકુલભાઈ રાવળ દ્વારા વિસ્તૃત અહેવાલ જિલ્લા સાંસદ શ્રી ને પહોંચાડી સુખદ ઉકેલ કરતા દામનગર શહેર ભાજપ પરિવાર ધીરુભાઈ નારોલા સતિષગિરી ગોસ્વામી હિમતભાઈ આલગિયા અમરશીભાઈ નારોલા તુષારભાઈ પાઠક સહિત શહેર ભાજપ સંગઠન ના હોદેદારો એ સાંસદ શ્રી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો સ્થાનિક અગ્રણી નિકુલભાઈ રાવળ ની અસરકારક રજુઆત થી દામનગર રેલવે સ્ટેશન અનેક સુવિધા થી સુસજ્જ બનશે બાંદ્રા ટ્રેન માટે પણ સાંસદ નું ધ્યાન દોરાયું હતું

Related Posts