દરેકનાં જીવનમાં બે ગુરુઓનો પ્રભાવ હંમેશા હોય છે. એક જ્યારથી અભ્યાસ શરૂ થાય ત્યારથી બીજા આપણે જે ધર્મમાં શ્રદ્ધા ધરાવતા હોય તેનાં સદ્દગુરૂ
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/07/IMG-20230703-WA0008-1140x620.jpg)
૩ જુલાઈ સોમવારે ગુરુપૂર્ણિમા નિમિત્તે સનરાઇઝ સ્કૂલમાં વિદ્યા ગુરુ એવાં વર્ગ શિક્ષકને પગે લાગી.તેમની ચોખા, કંકુ, ફૂલ વગેરે દ્વારા ભાવ વંદના કરવામાં આવી આ ઉપરાંત બાલ મંદિર થી ધો ૧૨ સુધીનાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઈચ્છા અને લાગણી ને કારણે શાળાનાં આચાર્યા સોનલબેન મશરું અને પ્રતાપભાઇ ખુમાણ (બાપુ સર) ની પણ ભાવ વંદના કરી હતી. આ પ્રસંગે સમગ્ર વિધાર્થી આલમને પ્રતાપભાઇ એ એક અપીલ કરી હતી કે, વર્તમાન સમયમાં આજકાલનાં યુવાનો વિવેક,વિનય, આમન્યા, ભાવ, લાગણી થી વિમુખ થતાં જાય છે ત્યારે વિવેક, વિનય, મોટા વડીલોને માન કે પોતાને જે જીવન ઘડતરની વિદ્યા આપે છે તેને આદર વગરની વિદ્યા વાંઝણી કહેવાય. માટે શાળાનો ઍક પ્રયાસ છે કે બાળકોમાં બાળપણ થી જ જો આ સંસ્કાર રેડવામાં આવે તો થોડે ઘણે અંશે આવતી પેઢી માં સુધારો આવે.
Recent Comments