સુરતમાં મતદાતા ચેતના અભિયાન યોજવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે કેન્દ્ર એનડીએ સરકાર ફરીથી ૪૦૦ થી વધારે બેઠકો સાથે કેન્દ્રમાં સત્તા સંભાળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અધ્યક્ષ પાટીલે કહ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરી એકવાર સત્તામાં સંભાળશે. મોદી સરકાર ત્રીજીવાર સત્તાના સરકારના સુત્રો સંભાળશે. અધ્યક્ષ પાટીલે કહ્યુ હતુ કે, ગત ચૂંટણીમાં ભાજપે ૩૦૦ થી વધારે બેઠકો જીતી હતી. આ પહેલા ભાજપે પ્રથમ વાર ૨૮૩ બેઠકો મેળવી હતી. આ વખતે ૪૦૦થી વધારે બેઠક જીતીને એનડીએ સરકારમાં આવશે. નવા મતદારોની નોંધણી કરાવીને કાર્યકર્તાઓને પ્રદેશ ભાજપ અધ્યક્ષે મતદારોને સંબોધિત કર્યા હતા. આગળ કહ્યુ હતુ કે, મોદી સરકારને કેન્દ્રમાં આ સાથે જ ૧૦ વર્ષ પૂર્ણ થશે. મોદી સરકારે દશ વર્ષમાં પાયો બનાવવાનુ કામ કર્યુ છે. જેની પર હવે ઈમારત રચાવાની શરુઆત થશે. આમ મજબૂત ઈમારત જેની પર રચાશે.
કેન્દ્રની એનડીએ સરકાર ૪૦૦ થી વધારે બેઠકો સાથે ફરીથી સત્તા સંભાળશે : સી.આર.પાટીલ

Recent Comments