‘મેરી કહાની મેરી ઝુબાની’સખી મંડળના ફાયદા જણાવતાં તળાજા તાલુકાના કોદીયા ગામના રાજીબેન ભંમર
રાજીબેન ભંમર ઠાકર સખી મંડળ સાથે જોડાયેલ છે. તેઓના સખી મંડળમાં ૧૦ બહેનો જોડાયેલ છે અને તેઓને સરકારશ્રી દ્વારા ૫ લાખની લોન પ્રાપ્ત થઇ છે. રાજીબેન ભાવનગરના તળાજા તાલુકાના કોદીયા ગામમાં રહે છે. રાજીબેન જણાવે છે કે સખી મંડળ દ્વારા તેમને આત્મનિર્ભર બનવા આર.સી.ટી દ્વારા વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. તેમણે વ્યવસાય પત્રવ્યવહાર ની તાલીમ ગ્રહણ કરેલ છે. બીજી વિવિધ પ્રકારની તાલીમ આર.સી.ટી દ્વારા આપવામાં આવે છે જેમ કે સખી મંડળનું સ્થાપન કેવી રીકે કરવું, સરકાર દ્વારા લોન કઈ રીતે પ્રાપ્ત કરી શકાય વગેરે. રાજીબેન જણાવે છે આ બધી તાલીમ તેમના જીવન માટે ખુબ ઉપયોગી બનેલ છે તે બદલ તેઓ સરકારશ્રીનો આભાર માને છે.
Recent Comments