અમરેલી માર્કેટ યાર્ડ ચેરમેન શૈલેષ સંઘાણીનો માનવતાવાદી અભિગમ પોતાના જન્મદિને ૨૪ × ૭ ગૃપ – અમરેલી સાથે “દર્દીના હમદર્દ” બન્યા
અમરેલીમાં દર રવિવારે ૨૪ x ૭ ગ્રુપ દ્વારા સીવીલ હોસ્પીટલના દર્દીઓમાં ફુટ, બિસ્કીટના વિતરણનો કાર્યક્રમ અવિરતપણે ચાલી રહયો છે. તા. ૩૧ ડીસેમ્બરના રવિવારના કાર્યક્રમમાં “સોનામાં સુગંધ ભળે” તે રીતે અમરેલી માર્કેટ યાર્ડના યુવાન ચેરમેને, પોતાના જન્મદિન નિમિત્તે, ૨૪×૭ ગ્રુપના આ સેવા કાર્યમાં જોડાવાની ઈચ્છા વ્યકત કરી અને કાર્યક્રમમાં સાથે જોડાયા.
ઓછું બોલતાં પણ નકકર કામ કરતાં શૈિલેષ સંઘાણી તેમના સ્વભાવની સરળતા અને મિત્રોને જરૂર પડે ત્યારે તેમની પડખે ઉભા રહેવાની પ્રકૃતિને કારણે મિત્રોમાં ખુબજ લોકપ્રિય છે. તા. ૩૧ મી ડીસેમ્બરના દિવસે તેમણે ૨૪×૭ ગ્રુપ સાથે જોડાઈને સીવીલ હોસ્પીટલના ૨૫૦ જેટલા દર્દીઓમાં બિસ્કીટ અને અન્ય નાસ્તાનું વિતરણ કર્યુ હતું. તેમની સાથે આ કાર્યક્રમમાં ૨૪×૭ ગ્રુપના પ્રણેતા ડો. ભરત કાનાબાર ઉપરાંત ડો.ભાવેશ મહેતા, ચેતનભાઈ રાવળ, કિરણભાઈ નાંઢા, ડો. નીખીલેશ જાની, મધુભાઈ આજુગીયા, યોગેશભાઈ કોટેચા, કમલેશભાઈ ગરાણીયા, તુલસીભાઈ મકવાણા, ટોમભાઈ અગ્રાવત, હરેશભાઈ સાદરાણી, પેન્ટર ડી.જી. મહેતા, સિકંદરખાન પઠાણ, પેન્ટર જોગી, મન્સુરભાઈ ગઢીયા, મિશ્રા (માસ્તર), નયન જોષી (બેદી), તરંગ પવાર, આકાશ અગ્રાવત, આશાબેન દવે, અલ્કાબેન દેસાઈ, બબાભાઈ, બી.કે. જોષી, નીલેશ જોષી (લાલો), ભગીરથભાઈ સોઢા, ડો. ભરત કલકાણી, રેડક્રોસ સ્ટાફ મેમ્બર્સ, કિરીટભાઈ મિશ્રા, કે.પી. પટેલ, મુનાફભાઈ કાજી, નિલેશભાઈ રામાણી વિગેરે સભ્યો જોડાયા હતા.
દર્દીઓમાં બિસ્કીટ અને નાસ્તાના વિતરણ બાદ ૨૪×૭ના મેમ્બરો દ્વારા, માર્કેટ યાર્ડ અને નાગરિક બેન્કના પૂર્વ ચેરમેન શ્રી પી.પી. સોજીત્રા સાહેબની ઉપસ્થિતિમાં શૈલેષભાઈ સઘાણીનું જન્મદિન નિમિત્તે અભિવાદન કરવામાં આવેલ, જેમાં ૨૪×૭ના મેમ્બરો ઉપરાંત તેમના અન્ય મિત્રો જોડાયા હતા.
Recent Comments