બોલિવૂડ

નીતિશ ભારદ્વાજ પોતાની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા

૯૦ના દાયકામાં ઘણા એવા સ્ટાર્સ હતા જેમણે સ્ક્રીન પર ભગવાનની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. પછી તે રામાનંદ સાગરની રામાયણ હોય કે ૯૦ના દાયકાનું પ્રખ્યાત મહાભારત. નીતીશ ભારદ્વાજે મહાભારતમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવીને ઘણી ચર્ચાઓ કરી હતી. દરેક ઘરમાં ભગવાન કૃષ્ણ તરીકે તેમની પૂજા થવા લાગી. પરંતુ વર્ષો પછી નીતીશ હવે પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચાનો હિસ્સો બની ગયા છે.

અભિનેતા નીતીશ ભારદ્વાજે ૈંજીજી ઓફિસર સ્મિતા ગેટ સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નજીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. જે બાદ વર્ષ ૨૦૧૯માં બંનેએ છૂટાછેડા લીધા હતા. આ સંબંધનો અંત આવ્યો, પરંતુ નીતિશ હજુ પણ તેના સમાપ્ત થયેલા લગ્નમાંથી સંપૂર્ણપણે બહાર આવી શક્યો નથી. નીતિશ ભારદ્વાજ પોતાની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. તેણે પોતાની પૂર્વ પત્ની અને ૈંજીજી ઓફિસર સ્મિતા ગેટ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

એક અહેવાલ અનુસાર, નીતિશ ભારદ્વાજે ભોપાલ પોલીસ કમિશનર હરિનારાયણચારી મિશ્રાને એક મેઇલ લખીને તેમની મદદ માંગી છે. અભિનેતાએ મેલમાં લખ્યું છે કે તેની પૂર્વ પત્ની તેને માનસિક રીતે ટોર્ચર કરી રહી છે. તેને બે જાેડિયા દીકરીઓ છે, જેમને મળવાની પણ મંજૂરી નથી. નીતિશની ફરિયાદ બાદ કમિશનરે આ મામલાની તપાસના આદેશ જારી કર્યા છે. આ સમગ્ર મામલાની જવાબદારી એડિશનલ ડીસીપી શાલિની દીક્ષિતને આપવામાં આવી છે.

આ વાતનો ખુલાસો ખુદ કમિશનર હરિનારાયણચારી મિશ્રાએ કર્યો છે. તેમનું કહેવું છે કે તેમને નીતિશ ભારદ્વાજ તરફથી ફરિયાદ મળી છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને મામલાને સમજવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, નીતિશે ટીવીના પ્રસિદ્ધ મહાભારતમાં શ્રી કૃષ્ણનું પાત્ર ભજવીને ઘણી ઓળખ મેળવી છે. આજે પણ તેમને ભગવાન કૃષ્ણના રોલ માટે યાદ કરવામાં આવે છે.

Related Posts