જનકભાઈ તળાવીયા ને ખુલ્લો પત્ર સુજલામ – સુફલામ યોજના હેઠળ ગારીયાધાર તાલુકા ને ૧૧૫ કરોડ દામનગર ને કેમ નહિ ?
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/02/IMG_20240218_114453.jpg)
દામનગર શહેરી સહિત ૨૫ જેટલા ગ્રામ્ય વિસ્તારો માં ગુજરાત સરકાર ની સુફલામ – સુજલામ યોજના હેઠળ જૂન માસ પહેલા તળાવો ચેકડેમ ઊંડા ઉતારવા ની માંગ છે જળસંસાધન તાજેતર માં ગારીયાધાર તાલુકા માં રૂપિયા ૧૧૫ કરોડ ના કામો માત્ર જળ સંસાધન સંદર્ભે મંજૂર થયેલ હોય ગારીયાધાર તાલુકા નું પ્રતિનિધિત્વ આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય દ્વારા થતું હોય જુના તળાવો ચેકડેમ ઊંડા ઉતારવા અને નવા બનાવવા માટે સમગ્ર તાલુકા માં નમૂનારૂપ જળ સંગ્રહ શક્તિ નું કાર્ય સ્થાનિક સામાજિક સંસ્થા ઓના સંકલન થી થઈ રહ્યું હોય ત્યારે લાઠી તાલુકા ના દામનગર શહેર નીચે આવતા ૨૫ જેટલા ગ્રામ્ય વિસ્તારો માં સુજલામ -સુફલામ યોજના અંતર્ગત જળસંસાધન ના કામો આગામી જૂન માસ પહેલા મંજુર કરાવી દામનગર શહેર ના શ્રી કુંભનાથ મહાદેવ તળાવ જય ભુરખિયા સરોવર -૧ અને ૨ તેમજ ઠાંસારોડ ચેકડેમ સહિત ગ્રામ્ય વિસ્તારો ના તળાવો ચેકડેમ ઉડા ઉતારવા કે નવા બનાવવા માટે આપ ની કક્ષા એથી જૂન પહેલા જળ મંદિરો નિર્માણ કાર્ય ને અગ્રતા આપી જળ વ્યવસ્થા માટે સમગ્ર દામનગર શહેરી વિસ્તાર તેમજ દામનગર નીચે ના ગ્રામ્ય વિસ્તારો માં સુજલામ – સુફલામ યોજના હેઠળ આ વિસ્તાર ને લાભ અપાવશો તેવી જનપ્રતિ તરીકે આપ ને આ વિસ્તાર ના જાહેર જનતા ની અપીલ દામનગર સહિત ના ગ્રામ્ય વિસ્તાર ને જળ સંસાધન ક્ષેત્રે સુનિશ્ચિત બનાવો
Recent Comments