સાવરકુંડલા તાલુકામાં જળસંચય થી જળસમૃદ્ધિ દ્વારા સાવરકુંડલા તાલુકાના નવાગામ જાંબુડા ખાતે ગ્રામજનો ના સહયોગ થી સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઉંડા કરવાની અને જળ સ્તર ઉંચુ લાવવા ની કામગીરી નું સમસ્ત ગ્રામજનો દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પાણી બચાવો અભિયાન માં ધોળકિયા ફાઉન્ડેશન નું યોગદાન પણ સાવરકુંડલા તાલુકાના નવાગામ જાંબુડા ગામ ને કરવામાં આવી રહ્યો છે. આ તકે તળાવો ઊંડા ઉતારવાની અને જળ સ્તર ઉંચુ લાવવા અંગે ની કામગીરી અને સ્થળ નિરીક્ષણ સાવરકુંડલા લીલીયા તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા એ સ્થળ પર નિરીક્ષણ કરી નવાગામ જાબુડા ના ગ્રામજનો ને જળક્રાંતિ ના ધ્યેય બદલ અભિનંદન પાઠવ્યા હતા.
સાવરકુંડલા તાલુકાના નવાગામ જાંબુડા ખાતે ગ્રામજનોના સહયોગથી તળાવો ઊંડા ઉતારવાની અને જળ સ્તર ઊંચું લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી.

Recent Comments