ઇમોવેટિવ આર્ટિસ ટ્રસ્ટ ના યુવા શિલ્પકાર અર્જુન પરમાર ને લલિત કલા અકાદમી દ્વારા રોકડ પુરસ્કાર એનાયત
પોરબંદર ઈનોવેટીવ આર્ટીસ્ટ ટ્રસ્ટ પોરબંદર કલા નગરી પોરબંદર નું ગૌરવ તાજેતરમાં પોરબંદરના યુવા શિલ્પ કાર અર્જુન સરમણભાઈ પરમારને લલિત કલા અકાદમીના ૬૪ માં ચિત્ર પ્રદર્શન માટે શિલ્પ વિભાગ શ્રેણી કલા સંસ્થાના વિદ્યાર્થીઓ માં તેમની શિલ્પ કૃતિ શીર્ષક : લેન્ડસ્કેપ પ્રથમ વિજેતા થતા રૂપિયા ૩૦૦૦/- નું રોકડ પુરસ્કાર તથા પ્રમાણ પત્ર ૬૪ મા લલિતકલા અકાદમીના પ્રદર્શનના ઉદઘાટન સમારોહ માં અમદાવાદ ખાતે તારીખ ૪.૦૭.૨૦૨૪ના રોજ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ તથા પ્રિન્સીપાલ, સંતરામ કોલેજ કલા વિવેચક તથા દિગ્ગજ ચિત્રકાર કનુ પટેલ ,પ્રસિદ્ધ ચિત્રકારશ્રી વૃંદાવન સોલંકી તથા અનેક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતીમા એનાયત કરવામાં આવેલ પોરબંદર ના યુવા શિલ્પકાર અર્જુન પરમાર હાલ વડોદરા ની એમ. એસ. યુનિવર્સિટીમાં શિલ્પ કલાના વિદ્યાર્થી છે.
ઇનોવેટિવ ધ ગ્રુપ ઓફ આર્ટીસ્ટ પોરબંદરનાં આ શિલ્પકારને અકાદમી દ્વારા આયોજિત ચિત્ર 64મા ચિત્ર પ્રદર્શન માં શિલ્પ વિભાગ : શ્રેણી : કલા સંસ્થાના વિદ્યાર્થીઓ માં પ્રથમ વિજેતા થતા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ બલરાજ પાડલીયા,સેક્રેટરી શૈલેષ પરમાર,આર્ટિસ્ટ કમલ ગોસ્વામી,કરશનભાઈ ઓડેદરા,દિનેશ પોરીયા, સમીર ઓડેદરા ,દિપક વિઠલાણી, ધારા જોષી તથા ક્રિષ્ના ટોડરમલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ.
Recent Comments