ભાવનગર

ગણેશ શાળા ટીમાણા દ્વારા પ્રકૃતિના સાનિધ્યમાં પ્રવાસ પર્યટન

તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળાના બાળકો દ્વારા કદમગીરી કોળંબા ધામ આઇ કમળાઇ માતાજી દર્શન અને પ્રકૃતિના સાનિધ્યમાં પ્રવાસની મજા માણી હતી તથા વન ભોજનનો લાભ લીધો હતો.આ ઉપરાંત ભાવનગરની જીવાદોરી સમાન શેંત્રુજી ડેમની પણ મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમિયાન બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાથી શિક્ષકોએ વન્ય સંપદા અને પ્રકૃતિ જીવન સાથે કેવી રીતે વણાયેલા છે, તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Related Posts