કેશોદમાં રહેતી એક મહિલાની પુત્રીને નોકરીએ રાખવા માટે લેબર કોન્ટ્રાક્ટર સહિતનાઓએ પૈસા લીધા હતા. બાદમાં મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું અને હવે પછી તારી દીકરીને તૈયાર રાખજે નહિતર પુત્રીઓને નોકરીમાંથી કઢાવી નાખવા ધમકી આપી હતી. આખરે મહિલાએ અર્બન હેલ્થ સેન્ટરમાં કામ કરતા એક મહિલા જૂનાગઢના લેબર કોન્ટ્રાક્ટર અને કેશોદના અન્ય એક શખ્સ સામે ફરિયાદ કરતા કેશોદ પોલીસે દુષ્કર્મ સહિતની કલમ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વધુ વિગત મુજબ કેશોદમાં રહેતા એક મહિલાની યુવાન પુત્રીઓએ કોર્સ કર્યા હતા
પરંતુ તેને નોકરી મળતી ન હતી. તેઓએ કેશોદ અર્બન હેલ્થ સેન્ટરમાં કામ કરતા શ્રધ્ધાબેન રાહુલભાઇ ગોહેલ સાથે સંપર્ક થતા તેને નોકરીની વાત કરી હતી. તેઓએ ૧૦ હજાર આપવા પડશે એમ કહી કેશોદમાં નરેન્દ્રભાઈ ઝાલાની ઓફિસે જવું પડશે એમ કહેતા મહિલા ત્યાં હતા. ત્યાં જતા નરેન્દ્ર મનસુખ ઝાલાએ દુષ્કર્મ આચર્યું હતું. તેણે હવે કાગળિયા લઈ આવ ત્યારે પુત્રીને લઈ આવજે એમ કહ્યું હતું. મહિલાએ શ્રધ્ધાબેનને વાત કરતા તેણે એમા શું ? દીકરીઓની નોકરી માટે બલિદાન આપવું પડે એમ કહ્યું હતું. બાદમાં મહિલાએ શ્રધ્ધાબેનને બીજી પુત્રીની નોકરી માટે વાત કરી હતી. ત્યારે તેમણે નોકરી માટે ૫૦ હજાર આપવા પડશે અને તમારે જૂનાગઢ જવું પડશે.
મહિલાએ તેને પહેલા ૩૫ હજાર અને પછી ૫ હજાર આપ્યા હતા. ત્યારબાદ મહિલાને જૂનાગઢ રજનીકાંત મોહન વાછાણી પાસેથી ઓર્ડર લઈ આવવા અને તે કહે તેમ કરજાે નહિતર તમારી દિકરીઓની નોકરી જાેખમમાં મુકાઈ જશે તેના છેડા છેક દિલ્હી સુધી છે. ત્યારબાદ રજનીકાંત વાછાણીએ મહિલાને ફોન કરી બીભત્સ માંગણી કરી હતી. ત્યારપછી મહિલાને પંચમુખી બિલ્વપત્ર મળ્યું હતું આથી પ્રસાદી સ્વરૂપે રજનીકાંત વાછાણીને આપવાનું નક્કી કર્યું હતું. ફોન કરી ગેરસમજ દુર કરવા પ્રયાસ કર્યો હતો. રજનીકાંત વાછાણીએ હું કહું તે પ્રમાણે સબંધ રાખજે નહીતર તારા હું શું હાલ કરીશ તે સપનામાં પણ વિચાર નહી કર્યો હોય. દરેક રાજકીય લોકો સાથે મારા છેડા છે.
મહિલા ડરી ગઈ હતી. રજનીકાંત મહિલાના ઘરે ગયો હતો ત્યારે તેણે દુષ્કર્મ આચર્યું હતું અને કહ્યું હતું કે, હું હવે જ્યારે આવું ત્યારે તારી ગમે તે દિકરીને તૈયાર રાખજે, હવે તેનો વારો હશે, આ બાબતે જાે કોઈને ચર્ચા કરી છે તો બધા માટે હું જાેખમ સાબિત કરી દઈશ, કોઈ જગ્યાએ જીવવા લાયક રહેવા નહી દઉ. તા.ર૧ના રજનીકાંત વાછાણીએ મહિલાને ફોન કરી તારી દિકરી મારૂ નામ વટાવે છે તેને કહેજે મારૂ નામ લેતા પહેલા વિચારે બાકી મને નોકરી પરથી ઉતારતા વાર નહી લાગે. દિકરીઓની નોકરી હોવા છતાં જાેખમ ઉભું થતું હોવાથી મહિલાએ અન્ય કોઈ સાથે આવી ઘટના ન બને તે માટે પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવતા પોલીસે શ્રધ્ધાબેન રાહુલ ગોહેલ, નરેન્દ્ર મનસુખ ઝાલા અને જૂનાગઢના રજનીકાંત મોહન વાછાણી સામે ગુનો દાખલ કર્યો છે. આ અંગે ડીવાયએસપી બી.સી. ઠક્કરે જણાવ્યું હતું કે, શ્રધ્ધાબેન અર્બન હેલ્થ સેન્ટરમાં કામ કરે છે, નરેન્દ્ર મનસુખ ઝાલા જીએનએમ નર્સિંગના કોર્ષ કરાવે છે જ્યારે રજનીકાંત વાછાણી લેબર કોન્ટ્રાક્ટર છે. હાલ આ અંગે કેશોદ પીઆઈ વધુ તપાસ કરી રહ્યા છે.
Recent Comments