ભાવનગર જિલ્લામાં ઋતુજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે અને છેલ્લા ૫૦ દિવસના જ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના આંકડા પર દ્રષ્ટિપાત કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે, ૫૦ દિવસમાં તાવના ૭૧૯૫ કેસ નોંધાયા હતા. જેમાં એકલા મહુવા તાલુકામાં જ તાવના ૫,૧૩૨ દર્દી જાેવા મળ્યા હતા. જાે બીજા શબ્દોમાં કહીએ તો જિલ્લામાં માત્ર મહુવા તાલુકામાં તાવના ૭૧ ટકા દર્દી નોંધાયા હતા. જિલ્લામાં ૧૪૦૭ દર્દી ઈન્ફ્લુએન્ઝાની અને ૯૧૩ દર્દી ઝાડા-ઉલ્ટીની લપેટમાં આવ્યા હતા. ભાવનગર તાલુકામાં જ હિપેટાઈટીસ-એના ૧૫માંથી ૧૨ એટલે કે ૮૦ ટકા કેસ અને ટાઈફોઈડના ૧૫૦ દર્દી જેમાં ૪૨ ટકા કેસ તળાજા તાલુકામાં નોંધાયા હતા.
જિલ્લામાં ડેંગ્યુના કુલ ૯ કેસ જાેવા મળ્યા હતા. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના વર્તુળોના જણાવ્યા અનુસાર જિલ્લાના ૧૦ તાલુકામાં સપ્ટેમ્બર માસ દરમિયાન ૭ દિવસથી ઓછો તાવ આવ્યો હોય તેવા ૩૮૬૯ કેસ અને ૭ દિવસથી વધુ તાવ આવ્યો હોય તેવા ૨૯૭ કેસ નોંધાયા હતા. ઝાડા-ઉલ્ટીના ૫૭૦ દર્દી અને ઈન્ફ્લુએન્ઝાના ૮૫૨ દર્દી જાેવા મળ્યા હતા. સીવીઅર એક્યુટ રેસ્પિરેટરી ઈન્ફેક્શન (એસએઆરઆઈ)ના ૨ કેસ નોંધાયા હતા. જ્યારે ઓક્ટોબર માસની ૨૦મી તારીખ સુધીમાં નોંધાયેલા કેસનો આંકડો જાેઈએ તો ૭ દિવસથી ઓછો તાવ આવ્યો હોય તેવા ૨૭૯૧ દર્દી અને ૭ દિવસથી વધુ તાવ આવ્યો હોય તેવા ૨૩૮ દર્દી જાેવા મળ્યા હતા.
ઝાડા-ઉલ્ટીના ૩૪૩ કેસ તો ઈન્ફ્લુએન્ઝાના ૫૫૫ કેસ જ્યારે એસએઆરઆઈના ૪ કેસ નોંધાયા હતા. આમ, જિલ્લામાં એકલા મહુવા તાલુકામાં જ સપ્ટેમ્બરમાં તાવના કુલ ૨૯૩૦ દર્દી અને ૨૦મી ઓક્ટોબર સુધીના ૨૦ દિવસમાં ૨૨૦૨ દર્દી જાેવા મળ્યા હતા. આમ, તાવના ૭૧ ટકા કેસ એકલા મહુવા તાલુકામાં જ નોંધાયા છે. જિલ્લામાં સપ્ટેમ્બર માસમાં ડેંગ્યુના ૬ કેસ જાેવા મળ્યા હતા. જેમાં ગારિયાધાર અને ઘોઘા તાલુકામાં ૨-૨ કેસ જ્યારે સિહોર અને તળાજા તાલુકામાં ૧-૧ કેસ નોંધાયો હતો.
તો હિપેટાઈટીસ-એના ભાવનગર તાલુકામાં ૧૧, ઘોઘા અને તળાજા તાલુકામાં ૧-૧ દર્દી હતા. જિલ્લામાં ટાઈફોઈડના ૭૦ દર્દી નોંધાયા તેમાં ભાવનગર તાલુકામાં ૭, ઘોઘા તાલુકામાં ૩, જેસર તાલુકામાં ૧, મહુવા તાલુકામાં ૨૨, પાલિતાણા તાલુકામાં ૪, સિહોર તાલુકામાં ૧, તળાજા તાલુકામાં ૨૬ અને વલ્લભીપુર તાલુકામાં ૬ દર્દીનો સમાવેશ થાય છે. મેલેરિયાના ભાવનગર તાલુકામાં ૧ અને મહુવા તાલુકામાં ૨ સહિત કુલ ૩ કેસ નોંધાયા હતા. સુધીમાં ડેંગ્યુના ગારિયાધાર તાલુકામાં ૨ અને સિહોરમાં ૧ સહિત જિલ્લામાં કુલ ૩ દર્દી, હિપેટાઈટીસ-એના ભાવનગર તાલુકામાં ૧ અને ઘોઘા તાલુકામાં ૧ સહિત જિલ્લામાં ૨ દર્દી, ટાઈફોઈડના ભાવનગર તાલુકામાં ૧૦, ઘોઘા તાલુકામાં ૩, જેસર તાલુકામાં ૧, મહુવા તાલુકામાં ૧૪, પાલિતાણા તાલુકામાં ૧૨, તળાજા તાલુકામાં ૩૮, વલ્લભીપુર તાલુકામાં ૨ સહિત કુલ કુલ ૮૦ દર્દી નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, આ ૫૦ દિવસમાં જિલ્લામાં ટાઈફોઈડના કુલ ૧૫૦ કેસ જાેવા મળ્યા હતા. જેમાં તળાજા તાલુકામાં સપ્ટેમ્બર માસમાં ૨૬ જ્યારે ઓક્ટોબરની ૨૦મી સુધીમાં ૩૮ કેસ સહિત ૬૪ કેસ નોંધાયા હતા. આમ, ટાઈફોઈડના કુલ કેસમાંથી માત્ર તળાજા તાલુકામાં ૪૨ ટકા દર્દી ટાઈફોઈડના નોંધાયા હતા. તો હિપેટાઈટીસ-એના જિલ્લામાં કુલ ૧૫ દર્દી નોંધાયા તેમાં એકલા ભાવનગર તાલુકામાં જ ૧૨ દર્દી એટલે કે ૮૦ ટકા દર્દી જાેવા મળ્યા હતા.
Recent Comments