અમરેલી

‘ડો.બી.આર. આંબેડકર સાહેબનું સંસદમાં ઘોર અપમાન કરતા ગૃહમંત્રી અમિતશાહ રાજીનામુ આપો” : પ્રહલાદ સોલંકી

ભારતીય બંધારણના ઘડવૈયા, વંચિતોના મુક્તિદાતા, ભારત રત્ન ડો. બી.આર. આંબેડકર સાહેબનું ભારતના ગૃહમંત્રીશ્રી અમિતશાહ દ્વારા સંસદમાં ઘોર અપમાન કરી દેશના દરેક દલિતો, વંચિતોના ભગવાનનું ઘોર અપમાન કરેલ છે તેમજ દેશના બંધારણના ઘડવૈયાનું અપમાન કરી પોતાની મનુસ્મૃતિ છબીને ઉજાગર કરેલ છે. અગાઉ પણ ભા.જ.પ.ના આગેવાનો દ્રારા બંધારણ બદલવાની અને મનુસ્મૃતિ લાગુ કરવાની જાહેરમાં ચર્ચાઓ-નિવેદન આપવામાં આવેલા છે. આ ઘટનાઓને છાવરતું ભા.જ.૫., આ૨.એસ.એસ.ના એજન્ડા મુજબ થઈ રહયુ છે અને એજન્ડા મુજબ નકકી કરેલ કાર્યક્રમ મુજબ જ સંસદમાં ડો.બાબા સાહેબનું ગૃહમંત્રી દ્વારા અપમાન કરવામાં આવેલ છે. જેથી આવી મનોવૃતિ ધરાવતા દેશના સર્વોચ્ચ પદ પર બેઠેલા અમિત શાહને આ પદ પર બેસવાનો અધિકાર જ નથી. જેથી કરીને તાત્કાલીક ધોરણે તેઓએ આ પદ પરથી રાજીનામુ આપવુ જોઇએ અન્યથા સમગ્ર દેશમાં વિરોધ ફાટી નિકળશે અને નાછુટકે તેમનું રાજીનામુ લેવામાં આવશે.

Related Posts