સાવરકુંડલા રેલવે સ્ટેશન ના એક પ્લેટફ્રોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે હાલ રેલવે દ્વારા ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યોછે આ બ્રિજ બનતા લોકો આસાનીથી શહેરના એક વિસ્તારમાંથી રેલવેની સામેના વિસ્તારમાં સરળતાથી આવન જાવન કરી શકશે.
સાવરકુંડલા શહેરમાં રેલવે સ્ટેશન ખાતે બનતાં ફૂટ ઓવર બ્રિજનું કામ પૂરજોશમાં ચાલી રહ્યુંછે લગભગ એકાદ માસમાં આ કામ પૂર્ણ થવાની ધારણા સેવાઈ રહીછે છેલ્લા ઘણા સમયથી આ ફૂટ ઓવર બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યુંછે તોતિંગ સ્ટ્રક્ચરલ માળખાને વેલ્ડિંગ બોલ્ડિંગ અને મોલ્ડિંગ કરવાનું કાર્ય હાલ ચાલી રહ્યુંછે આ ફુટ ઓવર બ્રિજ બનતા સાવરકુંડલા શહેરના ખાદી કાર્યાલય વિસ્તાર માં રહેતા હજારો લોકો અને લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર માં નિદાન માટે મોટી સંખ્યામાં આવનાર દર્દીઓ તેમજ માર્કેટ યાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ અને વિસ્તારમાં વસતાં અનેક રહીશો સહેલાઈ થી રેલવે સ્ટેશન ની સામે પાર પહોંચી શકાશે.
સ્ટેશનની સામેની સાઈડ આવેલ નિઃશુલ્ક હોસ્પિટલ આરોગ્ય મંદિર ખાતે સારવાર માટે જતા અને આવતા દર્દીઓને વચ્ચે ફાટક બંધ હોવાથી મુશ્કેલીઓ અનુભવી રહ્યાછે ત્યારે દર્દીને ઈમરજન્સી સારવાર માટે આવા બંધ ફાટક પણ ઘણી વખત દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકેછે જો કમસે કમ ફૂટ ઓવર બ્રિજ બનેલ હોય તો સ્ટ્રેચર પર પણ ગંભીર દર્દથી પીડાતા દર્દીઓને સામે પાર હોસ્પિટલમાં લઈ જવામાં આવશે આમ ફૂટ બ્રીજ આવા દર્દીઓ માટે તથા રેલવે ના મુસાફરો માટે ઉપયોગી થઈ શકશે સાવરકુંડલા રેલવે સ્ટેશન પાસેથી અનેક ગુડઝ ટ્રેન અને પેસેન્જર ટ્રેન પણ પસાર થતી હોય લોકોને એક વિસ્તારમાંથી સામેના વિસ્તારમાં વિના અવરોધે આવવા જવા માટે પણ ફૂટ બ્રીજ ખૂબ જરૂરી હોવાથી રેલવે દ્વારા બનાવવામાં આવી રહ્યોછે.
Recent Comments