“ઉત્સવ…બાળકોના સર્વાંગી વિકાસનો” થીમ સાથે તા. ૨૬ થી ૨૮ જૂન દરમિયાન સમગ્ર રાજ્યમાં યોજાનાર શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫નો આજથી રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્ય મંત્રી મંડળના સભ્યશ્રીઓ સહિતના વિવિધ પદાધિકારીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ ઉત્સાહભેર નાના ભૂલકાઓને શાળામાં પ્રથમવાર પ્રવેશ કરાવ્યો હતો.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ને ‘સમાજાેત્સવ‘ બનાવવાના ધ્યેય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહીસાગરના કડાણા તાલુકાની દિવડા પીએમ શ્રી શાળાના બાળકોને પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવના ૨૩માં સંસ્કરણનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ થરાદ તાલુકાના સીમાવર્તી દેવટા, દીપડા અને મોટા મેસરા ગામની શાળામાં બાળકોને પ્રવેશ અપાવ્યો હતો.
આ ઉપરાંત વિવિધ જિલ્લાઓમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવમાં રાજ્ય મંત્રી મંડળના સભ્યો સહિત વિવિધ મહાનુભાવો સહભાગી થયા હતાં.
•આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના ઊંઝા સ્થિત કન્યા હાઇસ્કુલમાં ભૂલકાઓનો શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
•કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જામનગર જિલ્લાના જાંબુડા, અલિયા તથા બાળા ગામની શાળાઓમાં નવા પ્રવેશ મેળવનાર બાળ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.
•પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ગોરખમઢી, કદવાર અને ધામળેજ ગામમાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
•ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે પાટણ જિલ્લામાં સિદ્ધપુર તાલુકાના રાજપુરા, કમલીવાડા તેમજ પાટણ તાલુકાના ખોડિયારપુરાની શાળાઓમાં બાળકોને પ્રવેશ કરાવ્યો હતો.
•શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલી સુખસર કૃષિ શાળામાં પ્રવેશપાત્ર ૩૫ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો.
•મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુભેન બાબરીયાએ ગાંધીનગર શહેરની સેકટર-૭, સેક્ટર-૮ અને સેક્ટર-૨ ની પ્રાથમિક શાળાઓ અને બાલવાટીકાના પ્રવેશપાત્ર કુલ ૭૯ બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
•વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની અવેડાવાડી પ્રાથમિક શાળાની આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧માં ૫૩ જેટલા ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો હતો.
•વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહીરે દાહોદ જિલ્લામાં શહેરા તાલુકાની બિલિથા પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ કરાવ્યો હતો.
•ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક-૩૩૪, લતા મંગેશકર પ્રા.શા.ક્રમાંક-૩૫૫ તેમજ પ્રમુખસ્વામી મહારાજ પ્રા.શા.ક્રમાંક-૩૪૬ના મળી કુલ ૫૮૩ ભૂલકાંઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
•સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ અમદાવાદના મણિનગર વિસ્તારની કાંકરિયા ગુજરાતી શાળા નં. ૧ તેમજ શ્રી રામકૃષ્ણ વિદ્યાલય ખાતેથી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ બાળકોને શૈક્ષણિક કિટ આપી કુમકુમ તિલક સાથે આવકાર્યા હતા.
•શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આમોદ્રા ખાતે બાળકોને શાળામાં રંગેચંગે પ્રવેશ કરાવ્યો હતો.
•વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે તાપી જિલ્લાની બોરખડી ઉત્તર બુનિયાદી કન્યા શાળામાં ૧૮૬ બાલિકાઓને અને વ્યારા-ચીખલીની વિવિધ શાળાઓમાં ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો હતો.
•અન્ન અને નાગરીક પુરવઠા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રમોસ પ્રાથમિક શાળા, એમ.એન.શાહ હાઈસ્કુલ , રમોસ અને વી. કે. પટેલ હાઈસ્કુલ , આમોદરાના બાળકોને શૈક્ષણિક કીટ આપી કુમકુમ તિલક સાથે શાળામાં આવકાર્યા હતા.
•આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાની સાર્વજનિક હાઈસ્કુલ ઉપરાંત વાઘનેરા અને શિશોર ગામની પ્રાથમિક શાળામાં ભૂલકાંઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
•વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લએ વડોદરા શહેરની વિવિધ ૭ શાળામાં નામાંકન કરાયેલા ભૂલકાંઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
શાળા પ્રવેશોત્સવમાં તમામ મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ ઉત્સાહભેર પ્રથમવાર શાળાએ આવતા ભૂલકાઓનું પુજન કરી પગલાં પાડીને પ્રવેશ કરાવ્યો હતો. તેમજ બાળકોને શૈક્ષણિક કીટ તથા પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ ઉપર
ત્રિ- દિવસીય કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી શુભારંભ

Recent Comments