બનાસ ડેરીની ચૂંટણીમાં ફરી એક વખત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો દબદબો યથાવત રહ્યો છે. કારણ કે નિયામક મંડળની ચૂંટણીમાં વધુ એક બેઠક બિનહરીફ થઈ છે. કાંકરેજ બેઠક પર ભાજપના બાબુ ચૌધરી બિનહરીફ થયા છે. સહકારી આગેવાન અણદાભાઈ પટેલે ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના (BJP) ઉમેદવાર બિનહરીફ રહ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 16 માંથી 15 બેઠક બિનહરીફ થઈ છે.
જે બેઠકો બિનહરીફ થઇ છે તેમાં પાલનપુર, વડગામ, દાંતીવાડા બેઠક બિનહરીફ જાહેર થઇ છે જ્યારે મેન્ડેટ બાદ ભાજપને હરીફ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે.
દિયોદર બેઠકની વાત કરીએ તો રમીલાબેન ચૌધરી બિનહરીફ થયા છે. જણાવી દઈએ કે, 10 ઓક્ટોબરે ચૂંટણી થશે જ્યારે 11 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે. આજે ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. ત્યારે ડિરેક્ટર પદની ચૂંટણીમાંથી પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરીનું પત્તુ કપાયું હોવાનાં સમાચાર છે. ભાજપે પાલનપુર, કાંકરેજ સહિત 6 બેઠક માટે મેન્ડેટ આપ્યા છે. પાલનપુર બેઠક પર ભરત પટેલ, કાંકરેજ બેઠક પર બાબુ ચૌધરી, દાંતીવાડા બેઠક પર પરથીભાઇ ચૌધરી, ધાનેરા બેઠક પર જે.કે. પટેલ, વડગામ બેઠક પર ફલજીભાઈ પટેલ અને દાંતા બેઠક પર અમરતજી ઠાકોરને મેન્ડેટ અપાયા છે. બનાસ ડેરીની 16 સભ્યોની નિયામક મંડળની બેઠક બિનહરીફ રહી છે.
બેઠક અને ઉમેદવાર
રાધનપુર- શંકરભાઈ ચૌધરી
સુઈગામ- મૂળજીભાઈ ચૌધરી
ભાભર- અંબાબેન ચૌધરી
કાંકરેજ- બાબુભાઈ ચૌધરી
ડીસા- કમળાબેન આલ
ધાનેરા- જે કે પટેલ
દાંતીવાડા- પરથીભાઇ ચૌધરી
પાલનપુર- ભરત પટેલ
અમીરગઢ- ભાવાભાઈ રબારી
વડગામ- ફલજીભાઈ ચૌધરી
થરાદ- પરબતભાઈ પટેલ
સાંતલપુર- રાઘાભાઈ આહીર
વાવ- માનીબેન રાયમલભાઈ પટેલ
લાખણી- તેજાભાઈ પટેલ


















Recent Comments