લાઠી તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે લાઠી મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અંગત પ્રશ્નો રજૂ કરવા માંગતા હોય, તે નાગરિકોએ સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો તા.૧૦ સપ્ટેમ્બર,૨૦૨૬ના રોજ બપોરે ૦૩:૦૦ કલાક સુધીમાં લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફતે મોકલવી. અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અવશ્ય લખવું, તેમ લાઠી તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ સપ્ટેમ્બરના રોજ યોજાશે : તા.૧૦ સપ્ટેમ્બર સુધીમાં પ્રશ્નો રજૂ કરવા














Recent Comments