ભાવનગર

અતિવૃષ્ટિ અને અકસ્માતની ઘટનાઓમાં સંવેદના સાથે સહાયતા રાશિ અર્પણ કરતા મોરારિબાપુ

તાજેતરમાં જ દિલ્હી ખાતે એક પાંચ માળની ઈમારત ધરાશાયી થતાં સાત લોકોનાં કરુણ મોત નિપજયા છે. જેનો મોટેભાગે પીજી તરીકે ઉપયોગ કરવામાં આવે છે તે પાંચ માળની ઈમારતનાં બેઝમેંટમાં  રિપેરિંગનું કામ ચાલતું હતું અને તે દરમિયાન અચાનકજ બિલ્ડીંગ ધરાશાયી થતાં એનેક લોકો ઘાયલ થયા હતા જેમાં  મળતી માહિતી મુજબ ૭ લોકોનાં મોત નિપજયા હતા. પૂજ્ય મોરારિબાપુ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમનાં પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૦૫૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે રામકથાના મુંબઈ સ્થિત શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે. 

      દેશમાં લા નીનોની અસરને કારણે ક્યાંક ક્યાંક અતિવૃષ્ટિ થઈ રહી છે અને કોઈ જગ્યાએ ફકત બે-ત્રણ ઈંચ જેટલો ઓછો વરસાદ નોંધાયો છે. મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની સંયુક્ત સરહદે આવેલા ચિત્રકૂટમાં અતિવૃષ્ટિ થઈ છે અને જાનમાલની ભારે ખુવારી થઈ છે. પૂજ્ય બાપુએ આ ધટનામાં પણ તત્કાલ સહાયતા સ્વરુપમાં ૫,૦૦,૦૦૦ રુપિયાની સહાયતા રાશિ અર્પણ કરી છે જે રામકથાના ઉતરપ્રદેશના વારાણસી સ્થિત શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવી છે. સૌનાં નિર્વાણ માટે પૂ બાપુએ હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે, તેમ

જયદેવ માંકડ,

તલગાજરડાની યાદીમા જણાવ્યું છે.

Related Posts