લીલીયા તાલુકા થી સેવા સત્સંગ યાત્રા તા.26-8-2026ને બુધવારના રોજ પવિત્ર શ્રાવણ માસમાં સમસ્ત લુવારીયા ગ્રામજનોના તમામ વયોવૃદ્ધ વડીલ માતા-પિતાને તદ્દન ફ્રીમાં” સેવા સત્સંગ યાત્રાના” યુવા દાતાશ્રી કલ્પેશભાઈ બી.સુદાણી ગામ લુવારીયા હાલ દુબઇના સહયોગ યોજાય રાજેશભાઈ પાનસુરીયા નાં સુંદર, સુચારુ,આયોજન દ્રારા ૨ * ૨ સ્લીપર વોલ્વો બસ- બાંધી નિઃશુલ્ક યાત્રાની શરૂઆત સવારના 4-00 કલાકે પ્રસ્થાન કરાય130 વ્યક્તિ સાથે બસ પ્રસ્થાન કરી સૌ પ્રથમ જલારામ વીરપુર મંદિર દર્શન શક્તિપીઠ ખોડલધામ મંદિર-કાગવડ બેટરી રીક્ષા સાથે વડીલ દર્શનાર્થીઓને માં-ખોડલના દર્શન કરાવી ધન્યતા અનુભવી સાથે ધૂન-સ્તુતિ કરી, તેમજ અતિ પ્રાચીન બૌદ્ધગુફા-ખંભાલિડા સ્વામિનારાયણ મંદિર ગાદીસ્થાન-જેતપુર દેવદર્શન કરી આરામકક્ષમાં વામકક્ષી કર્યા પછી હિંડોરણl દર્શન સાથે અખન્ડ ધૂનમાં સહભાગીદાર થયા,અંતમાં પરબધામ-વાવડી દર્શન કરી,સમગ્ર યાત્રાનું યોગ્ય સંકલન અને સહકાર સાથે માર્ગદર્શન આપનાર રાજેશભાઇ પાનસુરીયાને સૌએ રૂડા આશીર્વાદ આપ્યા,આમ સમગ્ર ગામમાં એકતા અને સંપ-સહકારથી વડીલ વંદનાને યાત્રા કરીને સૌને રાજીપો મળ્યો, તેમ હીંમતભાઈ શિરોયા ની યાદી મા જણાવ્યું હતું
લુવારીયા વડીલો માટે તદ્દન ફ્રી “સેવા સત્સંગ યાત્રા” દાતા કલ્પેશભાઈ સુદાણી દુબઇ ના સહયોગ યોજાય


















Recent Comments