ચંદ્રની કળાઓ ને ગ્રહોની
ગતિ ગોઠવી આપી,
વિજ્ઞાનની લીલા તમે
અદ્ભુત રચી આપી.
જે પ્રથમ પૂજાય છે ને
સૌની આગળ ચાલે છે,
વિસર્જનમાં પણ એણે
જિંદગીની ખુશી આપી.
–“પાંધી સર”
પૌરાણિક કથા-વાર્તાઓ માત્ર ધાર્મિક કલ્પનાઓ નથી, પરંતુ વિજ્ઞાન ન જાણતા જનસમુદાય સુધી જટિલ ભૌતિકશાસ્ત્ર પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ હતું. જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો મહાદેવ આ પૃથ્વી પર જીવનની સૃષ્ટિ રચનારા મુખ્ય ‘ડેવલપર’ છે. પૃથ્વીના પ્રારંભિક કાળમાં ગુરુત્વાકર્ષણ બળ વધારે હોવાથી સજીવ માત્ર પેટે ઘસડાઈને ચાલતા ‘સરિસૃપ’ જીવો સુધી જ સીમિત રહ્યો. આ સમસ્યાના ઉકેલ માટે પૃથ્વીના ઉપગ્રહ તરીકે ચંદ્રનું નિર્માણ થયું, જેનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના છઠ્ઠા ભાગનું છે. આ સંતુલનને કારણે જીવ પૃથ્વીની સપાટી પર સંપૂર્ણ મુક્ત થયા વગર, પેટે ચાલીને ઊભા થવા અને ચાલવા યોગ્ય બન્યો.
ગણેશજીનું ઓર્બિટલ સેટિંગ અને ગ્રહણની પાછળનો હેતુ
ચંદ્ર દ્વારા સૂર્યના પ્રકાશ અને ગતિના નિયમન બાદ, વિઘ્નહર્તા ગણેશજીએ મેદાને આવી ચંદ્રની ‘કલા’ વ્યવસ્થાપન (Orbital Setting) કરી દિવસ-રાત અને ‘તિથિઓ’નું ચક્ર સર્જ્યું. આજે પણ થતા સૂર્ય અને ચંદ્ર ગ્રહણો એ કોઈ ગણતરીની ક્ષતિ કે ઉણપ નથી, પરંતુ મહાદેવ અને ગણેશજીનો એક હેતુપૂર્વકનો ‘વ્યૂહ’ છે. *ગ્રહણ જ સામાન્ય માનવીને ગ્રહોની પોતાની ગતિ અને પરસ્પરના ભ્રમણ વિશે જાગૃત કરે છે.* આ દ્રષ્ટિએ ગણેશ ઉત્સવ એ બ્રહ્માંડના આ મહાન વૈજ્ઞાનિક કાર્યોને યાદ કરી ઉજવવાનો પર્વ છે.
’મોર્યા’નો સાચો અર્થ અને વિસર્જનનો અનન્ય આનંદ
ભગવાન શ્રીકૃષ્ણની જેમ જ ગણેશજીનું પુનરાવર્તિત અવતરણ નિશ્ચિત છે; એક તરફ ‘સંભવામિ યુગે યુગે’ છે તો બીજી તરફ લોકમુખે વસેલું ‘અગલે બરસ તૂ જલ્દી આ’ છે. *સામાન્ય રીતે કોઈપણ વસ્તુનું વિસર્જન અનિચ્છનીય હોય છે, પરંતુ ગણેશ ઉત્સવમાં વિસર્જન એ પુનઃ આગમનની આશા સાથે ઉજવાતો ઇચ્છિત ઉત્સવ છે.* દેશી ભાષામાં ‘મોર’ એટલે ‘આગળ’ (જેમ કે ‘મોર હાલ’). આમ, જે હંમેશાં પ્રથમ પૂજનીય અને સૌથી આગળ છે તે ‘ગણપતિ બાપા મોર્યા’ છે. નારાયણ સ્વામીના ભજનની પંક્તિ *”કલા તે અજબ રચી કિરતાર, કોઈ પાવે ન એનો પાર”* આ બ્રહ્માંડિય રચના પર અક્ષરશઃ ખરી ઉતરે છે
*ગણપતિ બાપા… મોર્યા!*














Recent Comments