ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ મળેલ સત્તાની રૂએ સમગ્ર ભાવનગર જિલ્લામાં
ઉંદર પકડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી ગ્લુટ્રેપ જાળના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ
ફરમાવ્યો છે.
આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન
કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
“જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ
પરના અધિકારીશ્રીને અધિકાર રહેશે.”
ભાવનગર જિલ્લામાં ઉંદર પકડવાની ગ્લુટ્રેપ જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ













Recent Comments