fbpx
ગુજરાત

વેરાવળ માં જલ્યાણ ગ્રુપ દ્વારા બુધવાર વિરદાદા જશરાજજી નો શોર્યદીન ઉજવાશે

લોહાણા સમાજના ગૌરવ સમા વિરદાદા જશરાજજીનો શોર્યદીન તા.રર જાન્યુઆરી બુધવાર ના રોજ હોય જેને સ્મૃતિ ચિન્હ તરીકે ઉજવવા જલ્યાણ ગ્રુપ દ્રારા જ્ઞાતિ સમુહ ભોજન સહીત પુજા વિધી નું આયોજન કરવામાં આવેલ છે

લોહાણા બોર્ડીંગના વિશાળ પટાંગણમાં વિરદાદા જશરાજજી નગરનું નિમાર્ણ થશેરધુવંશી પરિવાર આ નાત જમણમાં એક સાથે એકજ સ્થળે અકજ સમયે તમામ વર્ગ સ્તરના અબાલ વૃધ્ધ ગરીબ તવંગર રઘુવંશીઓ એક સાથે હરીહર કરશે તથા જય જલારામ જય વિરદાદા જશરાજ ના ગંગનભેદી સામુહીક ઉદબોધ સાથે જેના અન્ન ભેગા તેના મનભેગા આ સુત્ર દીલથી સાર્થક કરશે

જલ્યાણ ગુપ ના ચેરમેન લોહાણા મહાજન પ્રમુખ દીપક કકકડે જણાવેલ હતું કે ૨૦૦૭ થી છેલ્લા ૧૮ વર્ષ થી જલ્યાણ ગ્રુપ દ્વારા ભવ્ય રીતે પુણ્યતિથી નો કાર્યફમ યોજાય છે જેમાં વેરાવળ ભાલકા ભીડીયા સોમનાથ તેમજ તાલુકાના આજુ બાજુના લોહાણા જ્ઞાતિ પરીવારો જ્ઞાતિ ગંગાના દર્શન માટે ઉમટી પડે છે મોટી ઉમર (સીનીયર સીટીઝન) ભાઈઓ બહેનો માટે અઢીયા હોલ ના ગ્રાઉન્ડ માં ટેબલ ખુરશીનો વ્યવસ્થા રાખવામાં આવે છે જેને બહોળો પ્રતિસાદ મળી રહેલ છે.

તા.રર ના બુધવાર સાજે ૭ વાગ્યે દાદાને નિવેધ જુવારી ગુલાબી સાફો ચડાવી પુજન કરવામાં આવશે ત્યાર બાદ સાજે ૭ વાગ્યે સમુહ ભોજન પ્રસાદીનો પ્રાંરભ થશે વડીલોના માર્ગદર્શન હેઠળ આ મેગા આયોજનને શ્રતિશુન્ય બનાવી રહયા છે અને આ કૃપાથી રઘુવંશી સમાજમાં ના આંગણે એકતાનો સુરજ ઉગશે સમગ્ર કાર્યફમ સફળ બનાવવા માટે જલ્યાણ ગુપ ના હોદેદારો કાર્યકરો તૈયારી પુર્ણ કરેલ છે.

Follow Me:

Related Posts