વી.ડી.કાણકીયા આર્ટસ અને એમ. આર.સંઘવી કોમર્સ કોલેજ – સાવરકુંડલા માં

માતૃશ્રી લીલાવંતીબેન ત્રિભોવનદાસ મહેતા કોલેજ લાઇબ્રેરી નવીનીકરણ ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો
મૂળ સાવરકુંડલાના વતની અને અમેરિકામાં ચીફ ફાઇનાન્સ ઓફિસર તરીકે કામ કરી ચૂકેલા નટવરભાઈ ગાંધી ના વરદ્ હસ્તે નવીનીકરણ થયેલ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવેલ.આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન ઘેલાણી/ કામદાર, ઉપપ્રમુખ કનુભાઈ ગેડીયા, મેને.ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા, ટ્રસ્ટી વિનુભાઈ રાવળ, જે.બી.વોરા (કોલેજ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને Rtd.IAS), ડોક્ટર તરસરીયા વગેરે મહાનુભાવો ની વિશેષ ઉપસ્થિતિ રહેલ. લાઇબ્રેરી નવીનીકરણ માટે મેને.ટ્રસ્ટી,ટ્રસ્ટીઓ તથા કોલેજના પ્રિન્સી.ડો.એસ.સી.રવિયા નું સતત માર્ગદર્શન રહેલ. લાઇબ્રેરીયન તરીકે કાર્યરત પાર્થભાઈ ગેડિયા તથા તેમની ટીમ દ્વારા દોઢ મહિનાના ટૂંકા ગાળામાં લાઇબ્રેરી ના તમામ પુસ્તકો નું કરેલ ઇંડેક્સિંગ તથા પુસ્તકોની વિષયવાર ગોઠવણ જોઈ સૌ કોઈએ પ્રસન્નતા અને રાજીપો વ્યક્ત કરેલ. તેમ રિપોર્ટર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.
—
Recent Comments