અમરેલી

સાવરકુંડલા-લિલિયા ગ્રામ્ય વિસ્તારમાં જનસમર્થનનો જ્વાર, ભાજપ તરફ વધતો વિશ્વાસ,

સાવરકુંડલા તાલુકા તેમજ જૂના સાવર અને લિલિયા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આજરોજ ધારાસભ્ય શ્રી મહેશભાઈ
કસવાલા સાહેબ દ્વારા જંગી જાહેર સભાઓ અને લોકસંપર્ક બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં યોજાયેલી
આ સભાઓમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, કાર્યકરો અને આગેવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામ, ઘનશ્યામનગર પારા વિસ્તાર, ધાર ગામ તેમજ ધજડી ગામ સહિતના વિસ્તારોમાં યોજાયેલી
બેઠકો દરમિયાન સ્થાનિક લોકો સાથે સીધી મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી અને વિકાસ કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી
હતી.
આ સભાઓને સંબોધિત કરતાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની
માહિતી આપી અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ભવ્ય બહુમતીથી વિજયી
બનાવવા માટે જનતાને અપીલ કરી હતી.
સ્થાનિક કાર્યકરો અને આગેવાનો દ્વારા પણ ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જનસમર્થન એકત્રિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત
કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમોમાં જનતાનો ઉત્સાહ

Related Posts