અમરેલી જિલ્લાના અનુસુચિત જાતિના યુવાઓ માટે સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન

ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ ૧૫ ડિસેમ્બર સુધીમાં અરજી કરવી
સાહસિક પગપાળા સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવા ઈચ્છતા અમરેલી જિલ્લાનાં ૧૫ થી ૩૫વર્ષના અનુસુચિત જાતિના યુવક-યુવતીઓને સાહસિક સાગરકાઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવવા માટે કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં ઉપક્રમે દર વર્ષે સાહસિક પગપાળા સાગરકાઠાં વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજવામાં આવે છે. ચાલુ વર્ષે ૧૦ દિવસ માટે આવો સાહસિક સાગરકાઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજ્યભરમાંથી મળેલ અરજીઓમાંથી ઉમેદવાર પસંદ કરી કુલ ૧૦૦ યુવક યુવતીઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપવામાં આવશે.
આ પ્રવાસમાં જોડાવા ઈચ્છતા અમરેલી જિલ્લાના અનુસુચિત જાતીના યુવક-યુવતીઓ કે જેમની ઉંમર ૩૧/૧૨/૨૦૨૧ નાં રોજ ૧૫ થી ૩૫ વર્ષની હોય તેઓએ કચેરીના બ્લોગપોસ્ટ dsoamreli.blogspot.com પરથી અથવા રમત ગમત કચેરી, બહુમાળીભવન, બ્લોક-સી, રૂમનં.૧૧૦/૧૧૧, અમરેલી પરથી રૂબરૂ ફોર્મ મેળવી લેવાના રહેશે. જેમાં યુવક-યુવતીઓએ પોતાનું નામ-સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય, એન.સી.સી/પર્વતા રોહણ/રમતગમત/ સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તો તેની વિગત, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું દાક્તરી પ્રમાણપત્ર, વાલીનું સંમતિ પત્રક, તાજેતરમાં પડાયેલ પાસપોર્ટ સાઈઝનો ફોટો, ઓળખ કાર્ડ અને અગાઉ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત વગેરે માહિતી સાથે જોડવાની રહેશે. અરજી તા.૧૫/૧૨/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી વલસાડ, રૂમ નંબર ૧૦૬, જૂની ટેલીફોન એક્ષચેન્જ, હાલર રોડ, વલસાડ-૩૯૬૦૦૧ ને મોકલી આપવાની રહેશે. પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા કુલ-૧૦૦ યુવક યુવતીઓની આ કાર્યક્રમમાં જોડાવા માટે પસંદગી કરવામાં આવશે. માત્ર પસંદગી પામેલ યુવક-યુવતીઓને ફોન/પત્ર દ્વારા જાણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર યુવક-યુવતીઓને નિવાસ, ભોજન, તથા આવવા જવાનું ભાડું સરકારશ્રી તરફથી આપવામાં આવશે જેની નોંધ લેવા એક યાદીમાં જણાવાયું છે..
Recent Comments