૭૨મા પ્રજાસત્તાક પર્વના જિલ્લા કક્ષાના ઉજવણી સમારોહ નિમિત્તે ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી, પાણી પુરવઠા, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ શ્રી કુંવરજીભાઇ બાવળીયાના વરદ હસ્તે ધ્વજવંદન વિધિ સવારે ૯:૦૦ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એસ.પી.કચેરી કંપાઉન્ડ, નવાપરા ખાતે યોજાશે. જેમા ધ્વજવંદન વિધિ બાદ પરેડ નિરીક્ષણ, માર્ચ પાસ્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મંત્રીશ્રી દ્વારા ઉદબોધન અને પદક-પ્રદાન અને સન્માન કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ/હોમગાર્ડ/એન.સી.સી. વગેરે તરફથી પરેડ, ઈનામ વિતરણ, વૃક્ષારોપણ વગેરે જેવા કાર્યક્રમો યોજાનાર છે.
ભાવનગર ખાતે જિલ્લા કક્ષાના ૭૨મા પ્રજાસત્તાક પર્વની મંત્રી શ્રી કુવરજીભાઇ બાવળીયાના હસ્તે ધ્વજવંદન કરી ઉજવણી કરાશે

Recent Comments