જાણીતા ઉદ્યોગપતિ અશોકભાઈ ગજેરાના નિવાસ સ્થાને મુંબઈ ભાજપ પ્રમુખ તથા મલબાર હિલના ધારાસભ્ય તથા લોઢા કન્સ્ટ્રકશનના માલિક મંગલપ્રભાત લોઢા સહિતના મહારાષ્ટ્રના ઉદ્યોગપતિઓનો જમાવડો . વતનના રતન વસંતભાઈ ગજેરાએ રામમંદિર નિર્માણનિધિમાં સુપૂર્ણ સહયોગ આપવાની ખાત્રી આપી . હિરાઉધોગ જગતના પ્રણેતા વસંતભાઈ ગજેરા , ચુનીભાઈ ગજેરા તથા અશોકભાઈ ગજેરાએ સાધ્વી ઋતુંભરાનું શ્રીરામની મૂર્તિ અર્પણ કરીને સન્માન કરીને મંદિર નિર્માણમાં ફંડ એકઠું કરવાનો વિશ્વાસ અપાવ્યો . અમરેલીના મુંબઈ સ્થિત જાણીતા ઉદ્યોગપતિ , લક્ષ્મીડાયમંડ મુંબઈના એમ.ડી તથા જેમ્સ એન્ડ જવેલરી કાઉન્સિલ – મહારાષ્ટ્રના ચેરમેન અશોકભાઈ ગજેરાના મુંબઈ સ્થિત નિવાસ સ્થાને દૂર્ગાવાહીની સંસ્થાના સ્થાપક , વિચારક તથા તેજાબી વકતા સન્માનનીય સાધ્વી ઋતુંભરાએ મુલાકાત લઈને રામમંદિર નિર્માણ નિધિ સમપર્ણ અંતર્ગત મિટીંગ લીધી હતી
આ મુલાકાતમાં મુંબઈ શહેર ભાજપ પ્રમુખ , ધારાસભ્ય તથા ઉદ્યોગપતિ મંગલપ્રભાત લોઢા સહિત મુંબઈ બીકેસીના ૬૦ ( સાઈઠ ) ઉદ્યોગપતિ પણ જોડાયા હતા . આ મુલાકાત દરમિયાન વતનના રતન , કેળવણીકાર તથા લક્ષ્મી ડાયમંડના સ્થાપક વસંતભાઈ ગજેરા , ચુનીભાઈ ગજેરા , અશોકભાઈ ગજેરા તથા શ્રીમતિ સરોજબેન અશોકભાઈ ગજેરાએ સાધ્વી માન.શ્રી સાધ્વી ઋતુભૂરાજીનું રામ – લક્ષ્મણ – હનુમાનજીની મૂર્તિ અર્પણ કરીને સન્માન કર્યુ હતું . આ તકે આંતરાષ્ટ્રીય કંપની લક્ષ્મી ડાયમંડ કા.મુંબઈના એમ.ડી , ડાયમંડકિંગ અશોક ગજેરાએ જણાવ્યુ હતુ કે રામમંદિરના નિર્માણથી ભારતની સત્ય , સનાતન સંસ્કૃતિની જાળવણીમાં આવનારા ભારતને ગૌરવ પ્રાપ્ત થશે ત્યારે રામ મંદિર નિર્માણમાં સહયોગ આપવો એ ગૌરવની વાત છે . અમો મંદિર નિર્માણમાં સહયોગ આપવાની ખાત્રી આપીએ છીએ
Recent Comments