તાજેતરમાં ચણા ની ખરીદી સી.સી.આઈ માં થઇ રહી છે ત્યારે સાવરકુંડલા અને લીલીયા મત વિસ્તાર નાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા કૃષિ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર સરકાર શ્રી ને પત્ર પાઠવી ને રજૂઆત કરવામાં આવેલ છે કે ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષમાં ખેડૂતો ના ચણા નાં પાકો ને ૫૦ મણ ખરીદી કરવામાં આવેલ હતી, પરંતુ આ વર્ષે ઓંચિત આવી પડેલ કુદરતી આફતો જેવી કે કોરોના તેમજ તાજેતર માં થયેલ વાવાઝોડા માં ખેડૂતોના પાકોને ઘણું નુકશાન થવા પામેલ હતું.ખેડૂતના પાકો જેવા કે સીંગ, મગફળી નું C.C I. તરફથી ખરીદી કરવામાં આવેલ નથી ત્યારે સાવરકુંડલા અને લીલીયા તાલુકા તેમજ સમગ્ર ગુજરાત ભરમાં ખેડૂતો દ્વારા હાલ ચણા નું મોટા પ્રમાણમાં વાવેતર કરેલ હોય તેથી ખેડૂતો નાં ચણા ની ખરીદી ૧૫૦ મણ ની કરવામાં આવે તો ખેડૂતો એ કરેલ ચણાના વાવેતર નું યોગ્ય વળતર મળી રહે તેમ હોય તેવા આશ્ય સાથે પત્ર પાઠવી ને ખેડૂતો નાં ચણા ની ખરીદી માં ૫૦ મણ ની જગ્યાએ ૧૫૦ ની ખરીદી કરવામાં આવે
સાવરકુંડલા અને લીલીયા તેમજ સમગ્ર ગુજરાત રાજ્યમાં ગુજરાત રાજ્ય ના સી.સી.આઈ. માં ૧૫૦ મણ ચણા ની ખરીદી કરવા માટે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ને રૂબરૂ ગાંધીનગર ખાતે પત્ર પાઠવતા ધારાસભ્ય પ્રતાપ દુધાત
















Recent Comments