અમરેલી

સાવરકુંડલા માનવ મંદિરે સાંસદ કાછડીયા એ લીધી મુલાકાત…. 100 બેડની કોવિડ કેર સેન્ટરને જોઈ બાપુની સેવાને બિરદાવી..

સાવરકુંડલા માનવ મંદિરે સાંસદ કાછડીયા એ લીધી મુલાકાત….100 બેડની કોવિડ કેર સેન્ટરને જોઈ બાપુની સેવાને બિરદાવી…
આશ્રમમાં કુદરતી રમણીય વાતાવરણમાં કોવિડ દર્દીઓને મળશે શુદ્ધ ઓક્સિજન….
સાવરકુંડલા લાઈફ કેર હોસ્પિટલ ના ચીફ ડો.વોરાના સુપરવિઝન મા કાર્યરત થશે આ કોવિડ કેર સેન્ટર…
સાંસદ કાછડીયા સાવરકુંડલા પાલિકા પ્રમુખ દોશી સહિતના અગ્રણીઓ એ આ પ્રયાસને ગણાવ્યો અનુકરણીય…
નારણભાઇ કાછડિયા વધુમાં જણાવ્યું હતું કે કુદરતને ખોળે અને સુંદર રમણીય વાતાવરણમાં આ કોવિડ સેન્ટર માં આવનાર દર્દીઓને સીધો શુદ્ધ ઓક્સિજન મળશે અને આવા રમણીય વાતાવરણમાં કોવિડ ના દર્દીઓ ઝડપથી સાજા થશે તેઓ પણ આશાવાદ વ્યક્ત કરી આ સંતના પ્રયાસ ને બિરદાવ્યો હતો.માનવ મંદિર આશ્રમ સાથે સાંસદ નારણભાઇ કાછડીયા પહેલેથી જ નાતો રહ્યો છે..આશ્રમના ભક્તિ બાપુએ જણાવ્યું કે આવી કોરોના ની વકરતી જતી મહામારીમાં મારો આશ્રમ જો સરકારની અને લોકોને ઉપયોગી થતો હોય તો એનાથી વધારે ઉંચી સેવા કોઈ નથી માનવતાનો ધર્મ ને સ્વીકારી નિસ્વાર્થ ભાવે લોક સેવા કરવી એજ સાચી સેવા છે.. સાવરકુંડલા માનવ મંદિર ની મુલાકાતે અમરેલી સાંસદ નારણભાઇ કાછડીયા…


માનવ મંદિરે ટૂંક સમયમાં જ 100 બેડ ની કોવિડ કેર સેન્ટર   શરૂ થનાર હોય માનવ મંદિરના સેવક અને સાંસદ નારણભાઇ કાછડીયા સાવરકુંડલા પાલિકા પ્રમુખ રાજુભાઈ દોશી સહિતના સાવરકુંડલા અમરેલી ના પ્રતિષ્ઠિત આગેવાનોએ આજે મુલાકાત લઈ પૂજ્ય ભક્તિ બાપુ અને સાવરકુંડલાની લાઇફ કેર હોસ્પિટલના ડોક્ટર વોરાના આ પ્રયાસને ખુબ જ અનુકરણીય ગણાવી  અને કોરોના મહામારી ના સંકટ વચ્ચે માનવ મંદિર નું આ યોગદાન અને સેવાઓને બિરદાવી હતી..

Related Posts