શિક્ષક સન્માન થી રાષ્ટ્ર વંદનાનો નિર્ધાર તથા શિક્ષકત્વના પ્રસ્થાન થી સર્વાંગી વિકાસ તરફની ગતિ ના સુચારૂં અભિગમ સાથે 11 ઓક્ટોબર, સોમવારના રોજ ગુજરાતના ભાવનગર પાટણ અને ભરૂચ વગેરે સ્થળોએ શિક્ષક ભાવવંદના દિવસની ઉજવણી થશે. આ અંગેની વિગતો આપતાં શિક્ષણવિદ શ્રી ડો. મહેશ ઠાકરે જણાવ્યું કે શિક્ષણ સમર્પિત વ્યક્તિત્વ શ્રી તખુભાઈ સાંડસુર ના ૬૧માં જન્મદિનને નિમિત્ત બનાવીને 61 શિક્ષકોનું ભાવ પૂજન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યભરના શિક્ષકોને કરેલા આહવાનથી પ્રાપ્ત થયેલા નામાંકનમાંથી 61 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. આ સમારોહમાં ઉચ્ચ શિક્ષણ,શિક્ષક તાલીમી સંસ્થાઓ, મંદબુદ્ધિના બાળકોના સ્પેશ્યલ શિક્ષક અને પ્રાથમિક-માધ્યમિકના શિક્ષકોનો સમાવેશ છે જે નોંધપાત્ર છે. ભાવનગરનો કાર્યક્રમ પરવડી ખાતે આયોજિત થશે.
પરવડીના કાર્યક્રમમાં કુલ 40 શિક્ષકોની ભાવનગર, બોટાદ,સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલીના શિક્ષકોની ભાવવંદના થશે. આ સમારોહમાં આશીર્વચન આપવા માનસ પ્રવકતા પૂજ્ય ડો. રામેશ્વર દાસબાપુ હરિયાણીની ઉપસ્થિતિ રહેશે.પ્રમુખ સ્થાને મા.શ્રી એન.જી વ્યાસ જિલ્લા શિક્ષણાધિકારી બિરાજશે. શિક્ષણવિદ શ્રી ગિજુભાઈ ભરાડ શિક્ષકત્વ :કર્મ અને ધર્મ એ વિષય પર વ્યાખ્યાન આપશે.ગૌરવરૂપ અતિથિઓ તરીકે માનનીય શ્રી કે.એમ મિયાણી( ડીપીઈઓ શ્રી) તથા પરેશભાઈ ખેની સામાજિક અગ્રણી, બિલ્ડર શ્રી સુનિલભાઈ ભંડેરી , શિક્ષણવિદો નાનુભાઇ શિરોયા અને મંદાકિનીબેન પુરોહિત હાજર રહેશે.
ભરુચના કાયૅક્રમમાં લોકગાયક શ્રી અભેસંગ બારોટ, ડીઇઓ શ્રી નવનીતભાઈ મહેતા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારુતિ સિંહ અટોદરિયા, વિમલભાઈ શાહ, જગદીશભાઈ ઠકરાર સહિત મહાનુભાવો હાજર રહેશે.
ઉત્તર ગુજરાતના પાટણના કાયૅક્મ ડી ઈ ઓ શ્રી જે.ડી જોશી,ડીપીઈઓ શ્રી બીપીનભાઈ પટેલ,ચેરીટી કમિશ્નર શ્રી વનરાજસિંહ જેબલિયા તથા શ્રી કનુભાઈ પટેલ,ડો.અલકાબેન પટેલ, શિક્ષણવિદ્ શ્રી સુરેશભાઈ ઠક્કરની હાજરી રહેશે.
આ કાર્યક્રમોનું સંકલન અને આયોજન શ્રી ભરતભાઈ ગોટી તથા જિતુભાઈ જોશી કરી રહ્યાં છે.
Recent Comments