રાજ્ય સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા અમલીકૃત સ્વરોજગાર માટેની શ્રી વાજપાઈ બેંકબલ યોજના અંતર્ગત વેપાર, સેવા અને ઉદ્યોગ પ્રકારના ધંધા માટે રૂ.૮,૦૦,૦૦૦/- સુધીની લોન ઉપર ૨૦% થી ૪૦% સુધી સબસીડી મળવાપાત્ર છે. જેનો લાભ લેવા માટે અરજદારોએ https://blp.gujarat.gov.in પર મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીમાં માંગ્યા મુજબ જરૂરી માહિતી સાથે માંગેલ તમામ અસલ દસ્તાવેજો(ડોક્યુમેન્ટ) અપલોડ કરી અરજી સબમીટ કર્યા બાદ અરજીપત્રક ડાઉનલોડ કરી તમામ દસ્તાવેજો(ડોક્યુમેન્ટ) સાથે હાર્ડકોપીમાં બે નકલમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,રાજમહેલ કમ્પાઉન્ડ, કલેકટર કચેરીની બાજુમાં, અમરેલી ખાતે આ અખબારી યાદી પ્રસિદ્ધ થયાના બે દિવસમાં મોકલી આપવા જણાવાયું છે.
નોંધનીય છે કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અમલીકૃત યોજનાનો અમલ નિ:શુલ્ક થાય છે. યોજના માટે કચેરીએ કોઈ એજન્ટો દલાલો કે અનઅધિકૃત વ્યક્તિઓને માન્યતા આપેલ નથી. જેથી લોન આપવવાના બહાને કોઈપણ પ્રકારનો નાણાંકિય વ્યવહાર કરવો નહિં આ અંગે વધુ માહિતી માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અમરેલીનો ફોન નંબર ૦૨૭૯૨-૨૨૨૭૬૮ પાર સંપર્ક સાધી શકાશે.
Recent Comments