સાવરકુંડલા શહેર અને ખાસ કરીને વોર્ડ નંબર- 9 ના રસ્તાઓની હાલત અત્યંત દયનીય અને જોખમી બની ગઈ છે. રસ્તાઓ પર પડેલા મોટા ગાબડાં અને ખાડાઓને કારણે સ્થાનિક રહીશો, વિદ્યાર્થીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. આ અંગે સામાજિક કાર્યકર ઉવેજ કાદરીએ નગરપાલિકાના વહીવટ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
ઉવેજ કાદરીએ જણાવ્યા અનુસાર, શહેરના રસ્તાઓ માટે રોડ રિસફેસિંગની ગ્રાન્ટ લાંબા સમયથી પાલિકા પાસે ઉપલબ્ધ છે, છતાં પણ વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે આ રકમનો ઉપયોગ કરવામાં આવતો નથી. શહેરના વિકાસ માટે ફાળવાયેલી ગ્રાન્ટ સમયસર વપરાતી ન હોવાથી રસ્તાઓ દિવસેને દિવસે વધુ બિસ્માર બની રહ્યા છે, જેના કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
યુવા કાર્યકર ઉવેજ કાદરીએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે વોર્ડ નંબર- 9 સહિત શહેરના તમામ મુખ્ય રસ્તાઓનું રીપેરીંગ કામ શરૂ કરવા માંગ કરી છે.


















Recent Comments